________________
૧૧૦
શબ્દાર્થ : અણુવ્રત
અધ્યાય : ૭, સૂત્ર-૧૫-૧૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ = નાના કે અલ્પ વ્રતને ધારણ કરનાર, અગારી =ગૃહસ્થ.
સૂત્રાર્થ : (જે વ્રતીને) અણુવ્રત હોય તે અગારી (વ્રતી કહેવાય છે.)
ભાવાર્થ : વ્રતી જીવોના બે ભેદોમાંથી પ્રથમ ભેદ અગારી છે. અગારીનું વિશેષ વર્ણન અહીંથી શરૂ થાય છે.
મુનિ મહાત્માઓની અપેક્ષાએ અણુ (અલ્પ-નાના) છે વ્રતો જેના તે અગારી કહેવાય છે. તેઓ ઘરવાળા હોવાથી તેમને પરિવાર અને સંપત્તિનો સંગ્રહ છે. ઘર અને ધંધાનો વ્યવસાય હોવાથી હિંસા, અમૃત, સ્તેય આદિ પાપો સર્વથા ત્યજી શકતા નથી. અલ્પમાત્રામાં જ ત્યજે છે. તેથી તેમના વ્રતોને અણુવ્રત કહેવાય છે.
અગારીવ્રતીના કુલ બાર (૧૨) વ્રતો છે.
૫ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત.
૫ અણુવ્રતો આ જ અધ્યાયના પહેલા અને બીજા સૂત્રોમાં મહાવ્રતોની સાથે જણાવી દીધા છે. ૩ ગુણવ્રતો અને ૪ શિક્ષાવ્રતો એમ કુલ સાત (૭) વ્રતો, આ જ પાંચ અણુવ્રતોની રક્ષા કરનારા, પુષ્ટિ કરનારા અને વૃદ્ધિ કરનારા છે.
હવે પછીના સૂત્રોમાં આ જ સાત વ્રતો (૩ ગુણવ્રતો અને ૪ શિક્ષાવ્રતો) સૂત્રકાર મહર્ષિ જણાવશે. ત્યારપછી બધા જ વ્રતોમાં અતિચારો જણાવશે.
સૂત્ર (૭-૧૬) પ્રયોજન : ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતોનો નિર્દેશ કર્યો છે. दिग्देशाऽनर्थदण्ऽविरति सामायिक पौषधोपवासोपभोग परिभोगपरिमाणाऽतिथिसंविभागव्रतसंपन्नश्च
७-१६
દિગ્દશાડનર્થદંડવિરતિ સામાયિક પૌષધોપવાસોપભોગ
પરિભોગપરિમાણાઽતિથિસંવિભાગવ્રતસંપન્નશ્ચ
દિગ્-દેશ-અનર્થદંડવિરતિ-સામાયિક-પૌષધ-ઉપવાસ
ઉપભોગ-પરિભોગ પરિમાણ-અતિથિસંવિભાગ વ્રતસંપન્નઃ ચ ૭-૧૬
૭-૧૬