________________
અધ્યાય : ૭, સૂત્ર-૧૧-૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
શબ્દાર્થ : મૂર્છા = આસક્તિ-મમત્વ બુદ્ધિ, પરિગ્રહ
સ્વીકાર.
સૂત્રાર્થ : (જડ કે ચેતન વસ્તુ ઉપર) મૂર્છા (આસક્તિ કે મમત્વ બુદ્ધિ) પરિગ્રહ
છે.
૧૦૬
=
ભાવાર્થ : સામાન્યથી પરિગ્રહનો અર્થ સ્વીકાર થાય છે અહીં માત્ર સ્વીકાર એવો અર્થ નથી. પરંતુ જેનાથી આત્મા આસક્તિ, મોહ કે મૂર્છાથી સંસારમાં જકડાય તે પરિગ્રહ કહેવાય છે.
-વસ્તુનો સ્વીકાર કરવા છતાં, તે વસ્તુ વિષે આસક્તિ ન હોય તો વસ્તુનો સ્વીકાર માત્ર કરવો તે પરિગ્રહ બનતો નથી.
-આથી ઉલ્ટું વસ્તુનો સ્વીકાર ન કરવા છતાં જો તેમાં આસક્તિ હોય તો તે પરિગ્રહ બને છે. જો એમ ન હોય તો ભિખારીને પણ નિષ્પરિગ્રહી અર્થાત્ પરિગ્રહ રહિત કહેવો જોઈએ.
-અહિંસા વગેરે મહાવ્રતોના સાધક આત્માને દુનિયાના કોઈપણ પદાર્થ ઉપર આસક્તિ કે મમત્વ ભાવ ન હોવા છતાં મહાવ્રતોના પાલન માટે અમુક વસ્તુઓનો સ્વીકાર કરવો પડે છે. આથી સાધક આત્માને આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે ઈષ્ટ ન હોવા છતાં માત્ર શરીરના નિર્વાહ માટે તેને ગ્રહણ કરે છે. તેમાં આસક્તિ ન હોવાથી તે સ્વીકાર પરિગ્રહની કોટીમાં આવી શકતો નથી. આથી જ તીર્થંકર પ્રભુએ સાધુઓને શરીરના નિર્વાહ માટે જરુરી વસ્ત્ર આદિ સ્વીકારવાની અનુજ્ઞા આપી છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે જે સ્વગુણો છે તેની પ્રાપ્તિ માટે પ્રયત્નો કરવા તે પરિગ્રહ કહેવાતો નથી. આ જ ગુણોની રક્ષા માટે અનિવાર્ય સંજોગોના કારણે મમતા વિના વસ્ત્ર-પાત્ર-ઉપધિ આદિ મુનિ રાખે તો તે મુનિ અપરિગ્રહી જ કહેવાય છે.
શંકા :- ઇષ્ટ વસ્તુમાં આસક્તિ હોવા છતાં લાભાન્તરાય કર્મના ક્ષયોપશમના અભાવે વસ્તુ ન મેળવી શકે તેમ બને. આ વાત સમજાય છે. પરંતુ જેમાં આસક્તિ ન હોય તેવી અનિષ્ટ વસ્તુ ઇચ્છા ન હોવા છતાં સ્વીકાર કે ઉપભોગ કરવો પડે તે કેવી રીતે શક્ય બને ? વસ્તુનો સ્વીકાર કે ઉપભોગ જ કહી આપે છે કે વસ્તુ તેને ઇષ્ટ છે. જો તે વસ્તુ અનિષ્ટ જ હોય તો સ્વીકાર કે ઉપભોગ કરે જ કેમ ?
સમાધાન ઃ તમારો પ્રશ્ન તર્કયુક્ત છે પણ બરાબર નથી. રોગી કડવા ઔષધ