SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૭, સૂત્ર-૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સૂત્ર (૭-૪) પ્રયોજન : પાંચે વ્રતોને સ્થિર કરવા માટે સર્વસામાન્ય પ્રથમ ભાવના જણાવે છે. ८० = हिंसादिष्विहामुत्र चापायावद्यदर्शनम् ૭-૪ ૭-૪ હિંસાદિહિામુત્ર ચાપાયાવઘદર્શનમ્ હિંસાદિષુ ઇહ અમુત્ર ચ અપાય અવદ્ય દર્શનમ્ ૭-૪ શબ્દાર્થ ઃ હિંસાદિષુ = હિંસા-જૂઠ વિગેરે પાપોમાં, ઇહ = આ લોક અને, અમૂત્ર પરલોક, અપાય = અનર્થ પરંપરા, અવઘ = પાપ, દર્શન = ઉપલબ્ધિ. સૂત્રાર્થ : હિંસાદિ પાપોથી આલોકમાં અપાયની (અનર્થની પરંપરા) અને પરલોકમાં અવઘનો (પાપનો) કરૂણ વિપાક ભોગવવો પડે છે એમ વિચારણા કરવી. ભાવાર્થ : આપણા આત્માને પાંચ વ્રતોમાં વધારે સ્થિર કરવા માટે હિંસા, અસત્ય, સ્તેય, અબ્રહ્મ અને પરિગ્રહ, આ પાંચ પ્રકારના પાપોમાં આ ભવમાં દુઃખની પરંપરા જ આવે છે અને પરભવમાં પાપફળ જ મળે છે. અર્થાત્ તે પાપોમાં દુ:ખ જ દુઃખ છે એમ મનમાં વિચારવું. જેથી પાપ કરવાની ભાવના જ ન થાય. હિંસા ઃ (૧) હિંસક વ્યક્તિ આ જન્મમાં હંમેશા ઉદ્વિગ્ન (દુઃખી) અને આકુળ-વ્યાકુળ સ્વભાવની હોય છે. પોતે ઉદ્વિગ્ન રહે છે અને બીજાને ઉદ્વેગ કરાવે છે. ફળઃ ફાંસી, જેલમાં જવું, દોરડાથી બંધાવું વગેરે દુઃખો હિંસા આદિ પાપોના કારણે સહેવા પડે છે. (૨) જૂઠ : જૂઠુ બોલનાર ઉ૫૨ કોઈને શ્રદ્ધા કે વિશ્વાસ રહેતો નથી. અસત્યવાદી લોકમાં અવિશ્વસનીય અને અપ્રિય બને છે. ફળઃ • જઠુ બોલવાથી જેને નુકસાન થયું હોય તેની સાથે વેર બંધાય છે. • જૂઠું બોલનારાને અવસરે તેને કોઈ સહાય મળતી નથી.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy