________________
અધ્યાય : ૭, સૂત્ર-૨
૮૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ આમ નિ૨૫રાધી જીવને સકારણ મારવો, તેનો જ ત્યાગ થતો હોવાથી ફક્ત સવા વશા (અથવા ૬.૨૫ ટકા)પ્રમાણ બાકી રહેશે. ટૂંકમાં ટકાવારીની દૃષ્ટિએ કહીએ તો ૧૦૦ ટકાના મહાવ્રત પાલનની અપેક્ષાએ અણુવ્રતનું પાલન સવા છ ટકા (૬.૨૫ ટકા) થાય છે. (ફ્લો-ચાર્ટમાં ટકાવરી બતાવી છે.)
(૨) સ્થૂલમૃષાવાદ વિરમણ વ્રત :
મૃષાવાદ એટલે જૂઠું બોલવું. આ દોષનો અલ્પ અંશે ત્યાગ કરવો અથવા દેશથી જુઠાણાની વિરતિ તે સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત.
કન્યા-અલીક, ગો-અલીક, ભૂમિ-અલીક, ન્યાસ-અપહાર, ફૂટસાક્ષી એ પાંચ પ્રકારના અસત્યનો ત્યાગ
કન્યા-અલીક : સગપણ વગેરે પ્રસંગોમાં કન્યાના વિષયમાં અસત્ય બોલવું, જેમકે કન્યા શીક્ષિત ન હોવા છતાં તે ખૂબ ભણેલી છે તેમ કહેવું. જોકે કન્યા શબ્દ ઉપલક્ષણ છે તેના મૂળમાં દ્વિપદ સંબંધિ જૂઠું બોલવું તે છે. અર્થાત્ નોકર-ચાકર માટે અસત્ય બોલવું. જેમ કે નોકરીમાંથી છૂટા કરેલા નોકર માટે જૂઠી વાતો ફેલાવવી.
ગૉ-અલીક : ગાય, બળદ વગેરે પશુઓના સંબંધમાં જૂઠું બોલવું. જેમ કે એક ગાય દશ લીટર દૂધ આપતી હોય છતાં પંદર લીટર દૂધ આપે છે તેમ કહેવું. અહીં ગો-શબ્દ ઉપલક્ષણથી છે. ખરેખર ચતુષ્પદ અથવા ચાર પગવાળા સર્વ પશુઓનો અહીં સમાવેશ સમજી લેવો.
ભૂમિ અલિક : જમીન, મકાન વગેરે સ્થાવર મિલ્કતના સંબંધમાં જૂઠું બોલવું. જેમ કે જમીન રસકસવાળી ન હોવા છતાં ફળદ્રુપ કહેવી. ઝઘડામાં હોવા છતા ચોક્ખી જમીન કહેવી. અહીં ભૂમિના ઉપલક્ષણથી સર્વે મિલ્કતો સંબંધી સેવાતા મૃષાવાદનો સમાવેશ કરવો.
ન્યાસ અપહાર : ન્યાસ એટલે થાપણ. અપહાર એટલે અસ્વીકાર પૂર્વે થાપણ રૂપે મૂકેલા પૈસા લેવા આવે ત્યારે નથી આપ્યા એમ કહીને થાપણનો અપહાર (અસ્વીકાર) કરવો તે ન્યાસ અપહાર. જો કે આ ચોરીનો જ એક પ્રકાર છે. છતાં એ ચોરી અસત્ય બોલીને કરાતી હોવાથી, એમાં અસત્યની પ્રધાનતા હોવાથી એનો મૃષાવાદમાં સમાવેશ કર્યો છે.