SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૨૬ ૬૧ શબ્દાર્થ : વિઘ્નકરણમ્ = વિઘ્ન કરવું, અન્તરાયસ્ય = અંતરાય કર્મનો (આશ્રવ છે.) સૂત્રાર્થ : વિઘ્ન કરવું તે અંતરાયકર્મનો (આશ્રવ છે). ભાવાર્થ : દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય એ પાંચ પ્રકારના અંતરાય કર્મ છે. દાન વિઘ્નકરણ (દાનાંતરાય) : દાન દેવામાં વિઘ્ન કે અંતરાય ઊભો કરવો અથવા એવા ઉપાયો કરવા કે જેથી દેનાર દાન આપી ન શકે. એ જ રીતે દાતાને દાન દેવાથી રોકવો, દાતા અને દાનની નિંદા કરવી, દાનના સાધનોનો નાશ કરવો અથવા દાતા અને પાત્રનો સંયોગ ન થવા દેવો એ સર્વે દાનાંતરાયકર્મના આશ્રવો છે. લાભ વિઘ્નકરણ (લાભાંતરાય) કોઈને લાભ પ્રાપ્તિમાં વિઘ્ન કે અંતરાય ઊભો કરવો અથવા તો એવા ઉપાયો કરવા કે જેથી લાભ લેનાર લાભ લઈ ન શકે. લાભ લેનારને પ્રાપ્તિથી રોકવો. લેનારની નિંદા કરવી. પ્રાપ્તિ થતી હોય ત્યારે તે સાધનોનો નાશ કરવો. મેળવનારનો અને વસ્તુનો સંયોગ ન થવા દેવો એ સર્વે લાભાંતરાય કર્મના આશ્રવો છે. ભોગ વિઘ્નકરણ (ભોગાંતરાય) એક જ વાર ભોગવી શકાય તે શબ્દાદિ વિષયોનો ઉપયોગ તે ભોગ. આ ભોગ ભોગવવામાં જેમ કે ભોજન કરવામાં વિઘ્ન કે અંતરાય ઊભો કરવો અથવા તો એવા ઉપાયો કરવા કેજેથી ભોગ ભોગવનાર તેનો ઉપયોગ ન કરી શકે. એ જરીતે ભોજન કરનારને ભોજન કરવાથી રોકવો, તેની નિંદા કરવી, ભોજનના સાધનોનો નાશ કરવો, ભોજન અને ભોજન ક૨ના૨નો સંયોગ ન થવા દેવો એ સર્વે ભોગાંતરાયકર્મના આશ્રવો છે. ઉપભોગ વિઘ્નકરણ (ઉપભોગાંતરાય) અનેક વખત ભોગવી શકાય તેવા સ્ત્રી, વસ્ત્ર, મકાન, ફરનીચર વગેરેનો ઉપયોગ કરવો.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy