________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૬, સૂત્ર-૧૧
આહારાદિના દાનથી સહાયતા ન કરવી. જ્ઞાનના સાધનોનો નાશ કરવો.
સંક્ષેપમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના છ (૬) આશ્રવો નીચે પ્રમાણે
વિચારવા.
આશ્રવ
પ્રદોષ
નિહ્નવ
માત્સર્ય
અંતરાય
સંક્ષેપમાં અર્થ
અરૂચી, કંટાળો, અત્યંત દ્વેષ થવો.
છૂપાવવું, બહુમાન ન કરવું.
ઇર્ષા, અદેખાઇ કરવી.
વિઘ્નો ઉભાં કરવાં.
અનાદરથી વર્તન, ઉપેક્ષા કરવી.
જ્ઞાનના સાધનોનો નાશ કરવો.
૨૯
આસાદન
ઉપઘાત
શંકા : આસાદન અને ઉપઘાતમાં શું ફેર છે ?
સમાધાન : છતે જ્ઞાને તેનો વિનય ન કરવો, બીજા સામે તે ન પ્રકાશવું, તેના ગુણો ન જણાવવા એ ‘‘આસાદન’’ છે. જ્યારે ઉપઘાતમાં જ્ઞાનનાં સાધનોને બીનજરૂરી માની તેને નષ્ટ કરવાનો ઈરાદો હોય તેને આસાદન કહેવાય છે.
પ્રદોષાદિ છ કારણોમાં સમાવિષ્ટ અન્ય આશ્રવો :
• જ્ઞાનીથી પ્રતિકૂળ વર્તવું અથવા તેનું અપમાન કરવું.
• જ્ઞાનીના વચનો પર શ્રદ્ધા ન રાખવી.
• જ્ઞાનનો ગર્વ કરવો કે પોતાને પંડિત માનીને ચાલવું.
• સ્વાધ્યાય, વ્યાખ્યાન શ્રવણ વગેરે સારાં કાર્યો પણ અનાદરથી કરવા.
♦ અભ્યાસમાં પ્રમાદ કરવો.નિદ્રા આળસથી સ્વાધ્યાય ન કરવો.
• સૂત્ર વિરુદ્ધ બોલવું, જૂઠો ઉપદેશ આપવો.
વર્તમાન કાળે થતી જ્ઞાનની આશાતનાના કેટલાક દષ્ટાંતો :
♦ પુસ્તકાદિ જ્ઞાનના સાધનોને નીચે ભૂમિ ઉપર રાખવા.
• જ્ઞાનના સાધનો ગમે ત્યાં ફેંકી દેવા, મેલા કપડામાં બાંધવાં.