SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૬, સૂત્ર-૧૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ જેમ કે જે વ્યક્તિ દ્વારા પોતાને લાભ થવાનો હતો પણ લાભ ન થયો અને એ જ વ્યક્તિનું બીજા કોઇએ ખૂન કર્યું તે ખૂન થયું સાંભળી બહુ સારું થયું - તે જ દાવનો હતો એવો ભાવ કાયાની ચેષ્ટા દ્વારા કરે. ૨૪ ઉપરનું દૃષ્ટાંત એક સેમ્પલ તરીકે આપણે વિચાર્યું. આ રીતે માન, માયા, લોભ, મન, વચન વગેરે દરેક દષ્ટિથી ઉપરનું ઉદાહરણ વિચારીએ તો ૧૦૮ ભેદ થાય. સૂત્ર (૬-૧૦) પ્રયોજન :- અજીવ અધિકરણના ભેદો જણાવે છે. निर्वर्तना निक्षेपसंयोगनिसर्गा द्विचतुर्द्वित्रिभेदाः परम् નિર્વર્તના નિક્ષેપસંયોગનિસર્ગા દ્વિચતુર્ત્તિત્રિભેદાઃ પરમ્ નિર્વર્તના-નિક્ષેપ-સંયોગ-નિસર્ગાઃ દ્વિ-ચતુઃ દ્વિ-ત્રિ-ભેદાઃ પરમ્ ૬-૧૦ = શબ્દાર્થ : નિર્વર્તના = રચના, નિક્ષેપ = મૂકવું, સંયોગ = ભેગું કરવું, નિસર્ગ ત્યાગ કરવો, દ્વિ = બે, ચતુઃ = ચાર, ત્રિ = ત્રણ, ભેદાઃ = પ્રકારો, ભેદો, પરમ = પર (અજીવાધિકરણ). ६-१० ૬-૧૦ સૂત્રાર્થ : (બીજા અજીવ અધિકરણના) નિર્વર્તના, નિક્ષેપ, સંયોગ અને નિસર્ગ (એમ ચાર) ભેદ છે. જેના અનુક્રમે બે, ચાર, બે અને ત્રણ પ્રકારો છે. ભાવાર્થ : : આઠમા સૂત્રમાં કહેલા પ્રથમ જીવાધિકરણના ૧૦૮ ભેદ જેમ સૂત્ર (૬૯)માં કહ્યા છે. તેમ બીજા અજીવાધિકરણના ભેદો આ સૂત્રમાં જણાવે છે. પરમ એટલે પાછળના અર્થાત્ બીજા અજીવાધિકરણના મૂળ ચાર ભેદ છે. અને તે ચારેના અનુક્રમે ૨-૪-૨ અને ૩ ભેદો છે. મૂલ ચાર ભેદો છે. (૧) નિર્વર્તના, (૨) નિક્ષેપ, (૩) સંયોગ, (૪) નિસર્ગ. (૧) નિર્વર્તના ઃ એટલે રચના, બનાવટ, આકૃતિ.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy