SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ અધ્યાય : ૫, સૂત્ર-૧૯ તત્ત્વાર્થાધિગમ સૂત્ર સાર : ગતિ-સ્થિતિ કે અવગાહ (રહેઠાણ આપવું) તેમાં ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્યોનો ઉપકાર છે. આટલી જ વાતનું સ્મરણ કરીએ તો માનકષાય અને લોભકષાય ઉપર ઘણો અંકુશ આવી શકે. જો આકાશ દ્રવ્યની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં અવગાહ આપવાનું કાર્ય આકાશ જ કરે છે. પછી આ મારું ઘર, આ જગ્યા મારી છે, વગેરેમાં આપણે કેટલું મમત્વ કરીએ છીએ. આપણે આપણા આત્માને સંબોધીને એકવાર પૂછીએ, હે જીવ! મારું ઘર, મારી જગા વગેરે રહેવાના કોઈપણ સ્થળ તારા થયા ક્યાંથી? એ તો આકાશ દ્રવ્યનાં જ છે. તને આકાશે જગ્યા આપી છે ખરી માલિકી હક્ક તો આકાશનો જ છે તને તો ઉપચારથી પ્રાપ્ત થયેલ છે. તે અવગાહ આપવાનું કાર્ય ન કરે તો તારી શી હાલત થાય? આ વિશ્વમાં કશું જ તારું નથી. માટે અહંકારનો ત્યાગ કરી ધર્મ પુરુષાર્થ કરવા દ્વારા મોક્ષ માટે પુરુષાર્થ કર. સૂત્ર (૫-૧૯) પ્રયોજન પુદ્ગલ દ્રવ્યના કાર્ય કે ઉપકારને જણાવે છે. शरीरवाङ्मनःप्राणापानाः पुद्गलानाम् ५-१९ શરીરવામનઃપ્રાણાપાના પુદ્ગલાનામ્ ૫-૧૯ શરીર-વાડુ-મનઃ પ્રાણ-અપાનાઃ પુદ્ગલાનામ્ ૫-૧૯ શબ્દાર્થ : શરીર = પાંચ પ્રકારના શરીર, વાડ઼ = વાણી, મનઃ = મન, પ્રાણાપાના = શ્વાસોચ્છવાસ, પુદ્ગલાનામ્ = પુદ્ગલોનો. સૂત્રાર્થ : શરીર, વાણી, મન, પ્રાણ (શ્વાસ) અને અપાન (ઉવાસ) એ પુદ્ગલોનો ઉપકાર (કાર્ય) છે. ભાવાર્થ : ધર્મ, અધર્મ, આકાશનું કાર્ય (ઉપકાર) જણાવ્યા પછી સૂત્રકાર મહર્ષિ પુદ્ગલનો ઉપકાર જણાવે છે. (૧) શરીર ઃ શરીર પાંચ પ્રકારના છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ. આ પાંચેય શરીર પૌગલિક કહ્યા છે કેમકે તે પુગલોના જ બનેલા છે. સંસારી જીવને જે શરીર પ્રાપ્ત થયું છે તેના દ્વારા ખાણી-પીણી-ભોગો વગેરે જે કંઈ કાર્ય કરે છે તેમાં તે પુદ્ગલોનો ઉપકાર છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy