SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ અધ્યાય : ૫, સૂત્ર-૧૧ સૂત્ર (પ-૧૧) પ્રયોજન ઃ પરમાણુમાં પ્રદેશોનો અભાવ જણાવે છે. નાળો: - નાણોઃ ૫-૧૧ ન અણોઃ ૫-૧૧ નથી, અણોઃ = અણુને (પરમાણુને) તત્ત્વાર્થાધિગમ સૂત્ર શબ્દાર્થ : ન = સૂત્રાર્થ : પરમાણુને પ્રદેશો હોતા નથી. ભાવાર્થ : પરમાણુ એટલે પરમ અણુ. પરમાણુ એટલે પુદ્ગલનો એવો સુક્ષ્મ અવિભાજ્ય અંશ કે જેનું હવે પછી વિભાજન થઈ શકે નહીં અને જે પુદ્ગલના સ્કંધથી છૂટો પડેલો હોય, અથવા સ્વતંત્રપણે પ્રથમથી જ હોય. પરમાણુ સ્વયં પ્રદેશરૂપ જ છે. તેના પ્રદેશો સંભવતા જ નથી. જો તેને પણ પ્રદેશો હોય છે તેમ માનીએ તો પરમાણુને પ્રદેશો હોવાથી સ્કંધ જ માનવો પડે. માટે પરમાણુને પ્રદેશો હોતા નથી. પરંતુ પરમાણુ અને પ્રદેશ સમાન જ હોય છે. ફરક માત્ર એટલો જ છે કે પ્રદેશ સ્કંધની સાથે જોડાયેલો હોય છે. અને પરમાણુ સ્કંધથી છૂટો પડેલો હોય છે. શંકા : આજનું વિજ્ઞાન જેને ૫૨માણુ માને છે તે શું છે ? સમાધાન ઃ આજનું વિજ્ઞાન જેને અણુ કે પરમાણુ તરીકે ઓળખાવે છે તે વાસ્તવમાં કોઈ અણુ છે જ નહીં. પરંતુ અસંખ્ય પ્રદેશોવાળો કે અનંત પ્રદેશોવાળો એક સ્કંધ જ છે. શંકા :- આ પરમાણુ છે તે કેવી રીતે નક્કી થાય ? સમાધાન :- આ પરમાણુ આંખો વડે કદી દેખી શકાતો નથી, યંત્રોની મદદથી પણ કદાપી નક્કી ન થઈ શકે. ફક્ત વિશિષ્ટ જ્ઞાનના બળે જ તેને જાણી શકાય છે. કેવલી ભગવંત પોતાની જ્ઞાન શક્તિના બળે પણ તેના બે ભાગ કરી શકતા નથી. : સાર ઃ- રૂપી કે મૂર્ત ગણાતા પુગલ માટેપણ જો જ્ઞાનચક્ષુની જરૂર પડતી હોય તો અમૂર્ત કે અરૂપી દ્રવ્યો તો જ્ઞાન ચક્ષુ વિના કઈ રીતે ઓળખી શકાય ? જ્ઞાન ચક્ષુને ઉઘાડવાનો પુરુષાર્થ કરવા માટે સમ્યક્ જ્ઞાન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને આ સમ્યજ્ઞાન નિયમા મોક્ષે લઈ જવાનું છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy