________________
૨૦૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૪, સૂત્ર-૪૫
શબ્દાર્થ : દશ વર્ષ = ૧૦ વર્ષ, સહસ્ર = હજાર
પ્રથમાયામ્ = પ્રથમ નરકમાં
સૂત્રાર્થ : પ્રથમ નરકમાં (નારકોની જઘન્ય સ્થિતિ) દશ હજાર વર્ષ છે.
ભાવાર્થ : પ્રથમ નરકમાં નારક જીવોની જધન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે.
શંકા : પૂર્વસૂત્રથી આ સૂત્ર જુદું કેમ બનાવ્યું ?
સમાધાન : પૂર્વસૂત્રમાં માત્ર એટલી જ સૂચના હતી કે પૂર્વપૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ તે અનન્તર એવા પછી પછીનાની જઘન્ય સ્થિતિ છે. પરંતુ પ્રથમ નરક પૂર્વે તો કોઈ ઉત્કૃષ્ટ સ્થિતિ વાળી ભૂમિ જ નથી. માટે તેની જઘન્ય સ્થિતિનો આંક અલગ દર્શાવવો જ પડે, એટલા માટે આ સૂત્ર જુદું બનાવ્યું.
સૂત્ર (૪-૪૫) પ્રયોજન ઃ ભવનપતિ નિકાયના દેવોની જઘન્ય સ્થિતિ જણાવે છે.
भवनेषु च
૪-૪૬
ભવનેષુ ચ
૪-૪૫
ભવનેષુ ચ
૪-૪૫
શબ્દાર્થ ઃ ભવનેષુ = ભવનપતિ દેવોમાં
સૂત્રાર્થ : ભવનોમાં પણ (ભવનપતિ નિકાયના દેવોની પણ જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ છે.)
ભાવાર્થ : ભવનપતિ નિકાયમાં જઘન્ય સ્થિતિ જણાવે છે.
સૂત્ર ૪-૨૯ પ્રમાણે ‘સ્થિતિ’ની ચર્ચા ચાલુ જ છે.
સૂત્ર ૪-૩૯માં કહેલા ‘અપરા’ શબ્દની અનુવૃત્તિ ચાલુ હોવાથી તે જઘન્ય સ્થિતિ જ સૂચવે છે.
ભવનપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ સૂત્ર ૪-૩૦, ૪-૩૧ અને ૪-૩૨ માં જણાવી છે.