________________
૨૬૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૪, સૂત્ર-૩૨. શબ્દાર્થ : શેષાણાં = બાકીના પાદ – ઉન = બે (૨)માં પા ઓછો (પોણા બે)
સૂત્રાર્થ ? બાકીનાનું (ભવનપતિ નિકાયના ઉત્તરાર્ધના – ઉત્તર દિશાના ઈંદ્રોનું આયુષ્ય) પોણા બે (પલ્યોપમ) છે.
ભાવાર્થ : પૂર્વસૂત્રમાં ભવનપતિના દક્ષિણાર્ધાધિપતિની સ્થિતિ કહી. તે સૂત્રની અનુવૃત્તિ લેવાથી બાકીના ‘ઉત્તરાર્ધાધિપતિ’ એવો અર્થ થયો.
પાદોને = પાદ + ઉને ઉને શબ્દ દ્વિવચનવાળો હોવાથી બે પલ્યોપમ સમજવા.
પાદ એટલે ૧ પલ્યોપમનો ચોથો ભાગ અર્થાત્ “પા” પલ્યોપમ અર્થાત્ પાદ + ઉને એટલે બે પલ્યોપમમાં “પા (3) ભાગ ઓછો એટલે પોણા બે પલ્યોપમ
અપવાદઃ સૂત્ર ૪-૩ર માં પહેલા ભવનપતિના ઈન્દ્ર એવા અસુરકુમારની સ્થિતિ જુદી દર્શાવી છે. અર્થાત્ પોણા બે પલ્યોપમ સ્થિતિ નાગકુમાર આદિ નવ ભવનપતિના ઉત્તરાર્ધાધિપતિ (ઉત્તર દિશાના ઈન્દ્રો)ની સમજવી.
સૂત્ર (૪-૩૨) પ્રયોજન : ભવનપતિ નિકાયના ઈન્દ્રોની સ્થિતિમાં (આયુષ્યમાં) અપવાદ જણાવે છે.
असुरेन्द्रयोः सागरोपमाधिकं च ४-३२ અસુરેન્દ્રયો સાગરોપમધિમં ચ ૪-૩૨
અસુરેન્દ્રયો સાગરોપમન્ અધિક્ ચ ૪-૩૨ શબ્દાર્થ ઃ અસુરેન્દ્રયોઃ = અસુરકુમાર નિકાયના બંને ઈન્દ્રોનું સાગરોમમ્ = સાગરોપમ, અને અધિક ચ = સાગરોપમથી કંઈક અધિક
સૂત્રાર્થ અસુરકુમારના (દક્ષિણ દિશાના અધિપતિ) ઈન્દ્રનું આયુષ્ય એક સાગરોપમ અને ઉત્તરદિશાના અધિપતિની સ્થિતિ એક સાગરોપમથી કંઈક અધિક છે.