________________
૨૬૦ અધ્યાય : ૪, સૂત્ર-૩૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર શબ્દાર્થ: ભવનેષુ = ભવનપતિ નિકાયમાં દક્ષિણાઈ = ભવનના બે ભાગમાં દક્ષિણ તરફનો જે ભાગ છે તે ભાગના અધિપતીનામ્ = ઈન્દ્રોની, પલ્યોપમ = એક માપ છે, અધિઅર્ધમ્ = અડધું અધિક
સૂત્રાર્થઃ ભવનપતિ નિકાયમાં દક્ષિણ દિશાના ઈન્દ્રોનું ઉત્કૃષ્ટ આયુષ્ય (સ્થિતિ) દોઢ પલ્યોપમ છે.
ભાવાર્થ : ભવનપતિ દેવોના દશ ભેદો સૂત્ર ૪-૧૧ માં કહેલા છે તે દરેકના બે વિભાગ પડે છે.
દક્ષિણ દિશા તરફના ભવનોમાં રહેનાર દેવો ઉત્તર દિશા તરફના ભવનોમાં રહેનાર દેવો
આ બંને દિશાને આશ્રીને મૂળ ભવનના બે સરખા અર્ધા ભાગ થાય છે. તેમાંના દક્ષિણ તરફના અર્ધા ભાગને દક્ષિણાર્ધ કહેવાય છે. ભવનપતિના દશ ભેદો કહ્યા છે. આ દશેના દક્ષિણ વિભાગના દશ ઈન્દ્રો છે અને ઉત્તર વિભાગના પણ દશ ઈન્દ્રો છે. આ રીતે કુલ ભવનપતિ નિકાયમાં ૨૦ ઈન્દ્રો કહ્યા છે.
તેમાંથી જે દક્ષિણ વિભાગના ઈન્દ્રો છે તેને દક્ષિણાર્ધાધિપતિ કહેવાય છે. તેમની સ્થિતિ (આયુષ્ય)ને જણાવતું આ સૂત્ર છે. સર્વ દક્ષિણાર્ધાધિપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ દોઢ પલ્યોપમ છે. સૂત્રમાં અધ્યર્ધમ્ શબ્દનો અર્થ અર્પો પલ્યોપમથી અધિક એવું એક પલ્યોપમ, અર્થાત્ ૧ પલ્યોપમ + 1 પલ્યોપમ = દોઢ પલ્યોપમ સમજવું.
વિશેષતા : દક્ષિણાર્ધ - અધિપતીની જે સ્થિતિ સૂત્રકારે કહી તે અસુરકુમાર સિવાયના બાકીના નવ દક્ષિણાર્ધાધિપતિ માટે સમજવી. કારણ કે સૂત્ર ૪-૩ર માં અસુરકુમાર ચમરેન્દ્રની સ્થિતિ અલગ જણાવી છે. તેથી અહીં નવ ઈન્દ્રોની આ સ્થિતિ જાણવી.
સૂત્ર (૪-૩૧) પ્રયોજન ભવનપતિ નિકાયમાં ઉત્તરાર્ધની દિશામાં ઈન્દ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે. शेषाणां पादोने
૪-૩૨ શેષાણાં પાદોને
૪-૩૧ શેષાણાં પાદ ઉને
૪-૩૧