________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૪, સૂત્ર-૪
શબ્દાર્થ : ઈન્દ્ર ઈન્દ્ર (અધિપતિ), સામાનિક ઈન્દ્ર જેવી ઋધિવાળા, ત્રાયસિઁશ = ગુરૂસ્થાનીય (મંત્રી જેવા), પારિષદ્ય = ઈન્દ્રની સભાના સભ્યો, આત્મરક્ષક અંગરક્ષક, લોકપાલ કોટવાળ જેવા, અનીક–સેનાપતિ, પ્રકીર્ણક પ્રજા, નગરજન, આભિયોગ્ય=નોકર જેવા, કિલ્બિષિક=હલકા દેવો, એકશઃ–એક એક ભેદ.
૨૨૨
=
=
=
:
સૂત્રાર્થ : (ભવનપતિ આદી ચારનિકાયોમાં દશ, આઠ વગેરે અવાંતર ભેદોના) પ્રત્યેકના ઈન્દ્ર, સામાનિક, ત્રાયÁિશ, પારિષદ્ય, આત્મરક્ષક, લોકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિયોગ્ય, કિલ્બિષિક (એ દશ ભેદો છે.)
ભાવાર્થ : ભવનપતિ - વ્યંતર - જ્યોતિષ્ક અને વૈમાનિક એમ ચાર નિકાયના દેવોમાં સામાજિક વ્યવસ્થા હોવાથી રાજા-પ્રજાની જેમ નીચે મુજબ ૧૦ પ્રકારની વ્યવસ્થાવાળા દેવો હોય છે. સ્વામી-સેવક-નોકર ઈત્યાદિ સામાજિક વ્યવસ્થા મનુષ્યોની જેમ દેવોમાં પણ છે. આ પ્રકારની સામાજિક વ્યવસ્થાવાળા ૧૦ પ્રકારના દેવો અને દરેકનું કાર્ય નીચે પ્રમાણે છે.
(૧) ઈન્દ્ર ઃ સર્વે દેવોના અધિપતિ - રાજા.
(૨) સામાનિક : ઈન્દ્રની સમાન ઋદ્ધિ-સમૃદ્ધિ હોય. પિતા, ઉપાધ્યાય વગેરેની જેમ ઈન્દ્રને પણ આદરણીય હોય.
(૩) ત્રાયશ્રિંશ : ઈન્દ્રને સલાહ આપનારા મંત્રી
(૪) પારિષઘ : પર્ષદાના દેવો, ઈન્દ્રની સભાના સભ્યો
(૫) આત્મરક્ષક ઃ ઈન્દ્રની રક્ષા માટે કવચ ધારણ કરી શસ્ત્ર સહિત ઈન્દ્રની પાછળ ઊભા રહે દેવો.
(૬) લોકપાલ : ચારે દિશાઓનું રક્ષણ કરનારા, પોલિસ સમાન
(૭) અનીક : સેના તથા સેનાધિપતિ
(૮) પ્રકીર્ણક : પ્રજારૂપે રહેનારા પબ્લીક દેવો
(૯) આભિયોગ્ય : નોકર સમાન, સ્વામીના વાહન બની ચાલનારા
(૧૦) કિલ્બિષિક : અત્યંત હલકુ કામ કરનારા તુચ્છ દેવો, જો કે અહીંની જેમ દેવલોકમાં હલકા કાર્યો કરવા પડતા નથી, પરંતુ અન્ય દેવો તેમને હલકી દૃષ્ટિથી જુએ છે. આ દેવો સૌધર્મ-ઈશાન (પહેલા-બીજા), સનકુમાર (ત્રીજા) અને લાંતક (છઠ્ઠા) દેવલોકની નીચે રહે છે.