SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૪, સૂત્ર-૧ હવે વ્યંતર દેવોમાં જે સૌથી ઉપરના ૧૦૦ યોજન છોડેલા, તેમાં સૌથી ઉપરના અને સૌથી નીચેના ૧૦-૧૦ યોજન છોડી દેતાં વચ્ચેના ૮૦ યોજનમાં વાણવ્યંતર દેવોના નિવાસ તથા ઉત્પત્તિસ્થાન છે. ૨૧૮ ઉ૫૨ વર્ણવેલા ભવનપતિ, વ્યંતર અને વાણવ્યંતર દેવોના નિવાસો નીચેના યંત્રથી સહેલાઈથી સમજી શકાશે. ૧,૮૦,૦૦૦ ૧૦૦૦ યોજન | mpeg IÇí×ä Ph <>D ૧,૭૮,૦૦૦ યોજન ૧૦૦૦ યોજન ૧૦૦ યોજન ૧૦૦૦. વાંતરદેવોના નિવાસો ૮૦૦ યોજન ૧૦૦ યોજન ૧૦૦ ૧૦ યોજન [be] ×Þo app lalb ૮૦ યોજન ૧૦ યોજન (૩) જ્યોતિષ્મ : સમભૂતલા પૃથ્વીથી ઊંચે (ઊર્ધ્વદિશામાં) ૭૯૦ યોજન ગયા પછી ૧૧૦ યોજન ઊંચાઈ સુધીના વિસ્તારમાં જ્યોતિષ્ક દેવો જન્મે છે અને ત્યાં તેમના નિવાસો છે. : (૪) વૈમાનિક ઃ જ્યોતિષ્ક દેવોના નિવાસ સ્થાનથી કંઈક અધિક અર્ધરજ્જુ ઉપર ગયા બાદ વૈમાનિક દેવોની હદ શરૂ થાય છે. વૈમાનિક દેવોનો જન્મ પોત પોતાના વિમાનોમાં જ થાય છે તેમનું નિવાસ સ્થાન પણ તે વિમાનો જ છે. નોંધ ઃ ઉપરના ચારે પ્રકારના, પોત-પોતાના સ્થાનમાં ઉત્પન્ન થયેલા દેવો પોતાના સ્થાન સિવાય, લવણસમુદ્ર - મેરુ પર્વત - વર્ષધર પર્વત આદિ સ્થાનોમાં પણ રહે છે, પરંતુ તે તે સ્થાનોમાં કદાપી જન્મ લેતા નથી. શંકા : સૂત્ર ૪-૧ ના ભાવાર્થમાં તમે કહ્યું કે ભવનપતિ દેવો બે પ્રતરો વચ્ચેના આંતરામાં રહે છે. થોડી સ્પષ્ટતા કરશો ?
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy