________________
અધ્યાય : ૩, સૂત્ર-૧૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
(૫) શિલ્પ આર્ય : શિલ્પ એટલે કારીગરી. માનવજીવનમાં જરૂરી કામગીરી કરનાર મનુષ્યો શિલ્પ આર્ય છે. જેમકે વણકર, કુંભાર, વગેરે.
૨૦૨
(૬) ભાષા આર્ય : શિષ્ટપુરુષોને માન્ય, સુવ્યવસ્થિત શબ્દોવાળી, સ્પષ્ટ ઉચ્ચારવાળી, શિષ્ટ ભાષા બોલે તે મનુષ્યો ભાષા આર્ય છે.
મ્લેચ્છ : અકર્મભૂમિના મનુષ્યો મ્લેચ્છ કહેવાય છે.
-
અનાર્ય દેશોની વ્યાખ્યા કરતાં સૂર્યપ્રજ્ઞપ્તિ ગ્રંથમાં કહ્યું છે કે - જે દેશોમાં સ્વપ્નમાં પણ “ધર્મ” એવા અક્ષરો જાણવામાં ન આવે તે અનાર્ય દેશો છે. અનાર્યો પૂર્વભવ - પરભવ - આત્મા - સ્વર્ગ - નરક - ઈશ્વર - મુક્તિ વગેરેને મોટા ભાગે માનતા નથી. સંસ્કાર વિનાના હોય છે.
૩-૧૬
સૂત્ર (૩-૧૬) પ્રયોજન ઃ કર્મભૂમીની સંખ્યા જણાવે છે. भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरूत्तरकुरुभ्यः ભરતરાવતવિદેહાઃ કર્મભૂમયોડન્યત્ર દેવકુરૂત્તરકુરુભ્યઃ ૩-૧૬ ભરત-ઐરાવત-વિદેહાઃ કર્મભૂમયઃ અન્યત્રદેવકુરુ-ઉત્તરકુરુભ્યઃ ૩-૧૬
શબ્દાર્થ ઃ કર્મભૂમયઃ = કર્મભૂમિઓ, દેવકુરૂ - ઉત્તરકુરૂ = તે તે નામના ક્ષેત્રો
સૂત્રાર્થ : પાંચ ભરત, પાંચ ઐરાવત અને દેવકુરુ - ઉત્તરકુરુને છોડીને પાંચ મહાવિદેહ એમ ૧૫ ક્ષેત્રો કર્મભૂમિ છે. (દેવકુરુ અને ઉત્તરકુરુ અકર્મભૂમિ છે.)
ભાવાર્થ :
કર્મભૂમિ : જે ક્ષેત્રોમાંથી અસિ મિસ અને કૃષિના વ્યવહારો હોય તે કર્મભૂમિ અથવા જીવો કર્મોનો ક્ષય કરીને મોક્ષે જઇ શકે તે કર્મભૂમિ.
અકર્મભૂમિ : કર્મભૂમિ સિવાયના ક્ષેત્રો તે અકર્મભૂમિ. મનુષ્યક્ષેત્રમાં ૧૫ કર્મભૂમિ છે.