SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ અધ્યાય : ૩, સૂત્ર-૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર કહેવાય છે. અસંખ્યાતા યોજનને એક રાજ અથવા રજુ કહેવાય છે. સાતમી નારકીના તળીયેથી તેનો આરંભ થાય છે અને સિદ્ધશિલા પાસે સમગ્ર લોકનો અંત થતાં ચૌદ રાજલોક પૂર્ણ થાય છે. આ લોકના ત્રણ ભાગ છે. અધોલોક, મધ્યલોક અને ઊર્ધ્વલોક. કેડથી (કમરની) પગ સુધીનો ભાગ તે અધોલોક છે. નાભિ પ્રદેશ તે તિર્થાલોક છે. તિર્થાલોકને મધ્યલોક પણ કહેવાય છે. તિર્થાલોકની ઉપર ઊર્ધ્વલોક છે. અહીં ઊર્ધ્વ, અધો અને તિછલોકની વ્યવસ્થા મેરૂપર્વતની મધ્યમાં રહેલા આઠ રૂચકપ્રદેશની અપેક્ષાએ છે. રૂચકપ્રદેશની ઉપર ૯00 યોજન અને નીચે ૯00 યોજન એમ ઉચાઈમાં ૧૮૦૦ યોજન તિછલોક છે કહેવાય, જેની નીચે અધોલોક છે. રાજની અપેક્ષાએ વિચારીએ તો નીચેના સાત રાજમાં અધોલોક છે. ઉપરના સાત રાજમાં ઊર્ધ્વલોક છે. બન્નેમાંથી વચ્ચે વચ્ચેના ૯૦૦ - ૯00 યોજન મળી કુલ ૧૮૦૦ યોજનનો તિછલોક ઉંચાઈમાં છે. અધોલોકમાં નારકોના નિવાસસ્થાનો આવેલા છે. આ ભૂમિને નરકભૂમિ કહેવાય છે. આવી ભૂમિની સંખ્યા સાત છે, જેના નામ નીચે પ્રમાણે છે. (૧) રત્નપ્રભા, (૨) શર્કરા પ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમ:પ્રભા અને (૭) મહાતમ:પ્રભા. આ સાતે પૃથ્વીઓ ઘનાબુ અથવા ઘનોદધિ, ઘનવાત, તનવાત અને આકાશને આધારે રહેલી છે. ઘનાબુ (ઘનોદધિ) એટલે ઘનીભૂત પાણી (બરફની પાટ જેવું થીજેલું પાણી) ઘનવાત એટલે ઘનીભૂત વાયુ (ઘાટો વાયુ), તનવાત એટલે પાતળો વાયુ, આકાશ એટલે ખાલી જગ્યા. સર્વપ્રથમ રત્નપ્રભા પૃથ્વી છે. તેની નીચે ઘનોદધિ છે. ઘનોદધિની નીચે ઘનવાત છે. ઘનવાતની નીચે તનવાત છે અને તનવાતની નીચે આકાશ છે. આકાશની નીચે બીજી નરકભૂમિ છે. બીજી નરકભૂમિની નીચે ફરી એ જ ક્રમમાં ઘનોદધિ – ઘનવાત – તનવાત અને આકાશ છે. તેની નીચે ત્રીજી નરકભૂમિ છે અને એજ ક્રમમાં સાતમી નકરભૂમિ છે. સાતમી નરકભૂમિની નીચે પણ ઘનોદધિ - ઘનવાત - તનવાત - આકાશ છે. દરેક પૃથ્વીમાં એક પૃથ્વીથી બીજી પૃથ્વી વચ્ચેનું અંતર અસંખ્યાત કોડાકોડિ યોજન છે. રત્નપ્રભા આદિ સાત પૃથ્વીમાં નારકીના જીવોને રહેવા માટેના અનુક્રમે ૧૩,૧૧,૯,૭,૫,૩ અને ૧ પ્રતિરો આવેલા છે. રત્નપ્રભા : રત્નોની પ્રધાનતાવાળી ભૂમિ છે. શર્કરા પ્રભા : શર્કરા અથવા કાંકરાની મુખ્યતાવાળી ભૂમિ છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy