________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર બીજા અધ્યાયનો સંક્ષિપ્ત સાર
૧૫૭ અંદર પણ ગતિ કરી શકે છે અને બહાર પણ ગતિ કરી શકે છે. બધા શરીરોનું બીજ છે કાર્પણ શરીર જેમ બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ થયા કરે છે તેમ કર્મથી કાર્પણ શરીર અને કાર્મણ શરીરથી કર્મ. આ ચક્ર ચાલ્યા જ કરે છે. કાર્પણ શરીરને મૂળમાંથી કાઢીને નષ્ટ કરવું તે જ આપણું લક્ષ્ય હોવું જોઈએ
સૂત્ર ર-પરમાં સૂત્રકારે અપવર્તનીય અને અનપવર્તનીય આયુષ્ય સમજાવ્યા. દેવ અને નરકગતિમાં ઉપપાત રૂપ જન્મથી ઉત્પન્ન થનારા ઔપપાતિક, વર્તમાન ભવનું છેલ્લું શરીર છોડી સંપૂર્ણ કર્મ રહિત થઈ સિદ્ધ ગતિ પામનારા ચરમશરીરી, તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ એમ ૬૩ શલાકા ઉત્તમ પુરૂષો અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચો-યુગલિકોનું આયુષ્ય અનપવર્તનીય (ઘટે નહિ તેવું) હોય છે. વર્તમાનમાં મનુષ્યોનું આયુષ્ય મોટા ભાગે અપવર્તનીય એટલે નિમિત્ત મળતાં ઘટી શકે અર્થાત્ જલ્દી ભોગવાઈ જાય તેવું હોય છે.
બીજો અધ્યાય સંપૂર્ણ