________________
૧૨૪
અધ્યાય : ૨, સૂત્ર-૩૦-૩૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
ત્રીજા સમયે વળીને સમશ્રેણિએ ત્રસનાડીની બહારની દિશામાં જાય, ચોથા સમયે વળીને સમશ્રેણિએ વિદિશામાં ઉત્પત્તિસ્થાને આવે. આ ગતિમાં ત્રણ વળાંક હોવાથી આ તિ ત્રિવક્રા છે.
સૂત્ર (૨-૩૦) પ્રયોજનઃ- અવિગ્રહ ગતિનો કાળ કેટલો ? તે જણાવે છે.
एकसमयोऽविग्रहः
૨-૨૦
એકસમયોઽવિગ્રહ:
૨-૩૦
એક સમયઃ અવિગ્રહ:
૨-૩૦
શબ્દાર્થ :- અવિગ્રહ
વિગ્રહ રહિત
સૂત્રાર્થ :- અવિગ્રહ (સરળ ગતિનો કાળ) એક જ સમયનો હોય છે. ભાવાર્થ :- જે ગતિમાં વિગ્રહ ન હોય અર્થાત્ ઋજુ કે સરળ ગતિ હોય તે એક સમયની જ હોય છે. જીવને જે સ્થાને ઉત્પન્ન થવાનું છે ત્યાં એક સમયમાં પહોંચી જાય તો તે અવિગ્રહ ગતિથી જ જાય છે અને એક કરતા વધુ સમય લાગે તો પણ પ્રથમના
૧ સમય, આહારક
=
મરણદેશ
ઉત્પત્તિદેશ
સમયે અવિગ્રહ ગતિ જ હોય છે. બાકીના સમયોમાં વિગ્રહ ગતિ હોય છે કારણ કે બીજા સમયથી વળાંક શરૂ થઈ જાય છે.
સૂત્ર(૨-૩૧) પ્રયોજન ઃ- જીવ જ્યારે પરભવમાં જાય ત્યારે અનાહારક (આહારનો અભાવ) હોય છે. ક્યાં સુધી જીવ અનાહારક રહે ? તે આ સૂત્ર દર્શાવે છે.
एकं द्वौ वाऽनाहारकः
૨-૨૬
એક ઢૌ વાડનાહારકઃ
૨-૩૧
૨-૩૧
એક ઢૌ વા અન્-આહારકઃ
શબ્દાર્થ :- એકં = એક, ઢૌ = બે, વા = અથવા, અન્-આહારકઃ = આહાર
વિનાનો.