________________
૧ ૨૨ અધ્યાય : ૨, સૂત્ર-૨૮-૨૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર શબ્દાર્થ :- અનુશ્રેણિ = સીધી રેખા, ગતિ = જવું સૂત્રાર્થ :- (જીવ કે પુદ્ગલની) ગતિ સીધી રેખા પ્રમાણે થાય છે.
ભાવાર્થ :- છ પ્રકારના દ્રવ્યોમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો જ ગતિશીલ છે. બંને દ્રવ્યોની ગતિ જો કોઈ બાહ્ય ઉપાધિ ન હોય તો સીધી જ થાય છે.
શ્રેણિ એટલે રેખા. અનુશ્રેણિ એટલે સીધી રેખા પ્રમાણે. લોકના મધ્ય ભાગથી ઉપર-નીચે અને આજુબાજુ આકાશ પ્રદેશોની સીધી રેખાઓ આવેલી છે. જેમ ટ્રેઈન પાટા ઉપર જ ચાલે તેમ જીવ આકાશ પ્રદેશની શ્રેણિ ઉપર જ ચાલે છે.
મૃત્યુ પછી ચાર દિશા અને ઉપર-નીચે કોઈપણ એક દિશામાં, બાંધેલા આયુષ્યના આધારે, જીવનું ગમન થાય છે.
પ્રયોજન - સૂત્ર (૨-૨૮) સિદ્ધ જીવોની ગતિ જણાવે છે.
अविग्रहा जीवस्य २-२८ અવિગ્રહ જીવસ્ય ર-૨૮
અવિગ્રહા જીવસ્ય ૨-૨૮ શબ્દાર્થ:-અવિગ્રહા=વિગ્રહ રહિત (સરળ), જીવસ્ય-જીવની (સંપૂર્ણ કર્મ રહિત જીવની)
સૂત્રાર્થ :- (સિદ્ધ ગતિમાં જતાં) જીવની ગતિ સરળ જ હોય છે.
ભાવાર્થ - જીવ જ્યારે સર્વ કર્મોનો ક્ષય કરીને દેહત્યાગ કરે છે ત્યારે તે જ સ્થાનથી ઉર્ધ્વ ગતિમાં ઉપર જાય છે, અર્થાત્ વક્ર ગતિ કરતો નથી. અહીં જીવ શબ્દથી સિદ્ધ થતાં જીવો સમજવાના છે.
સૂત્ર (૨-૨૯) પ્રયોજન - સંસારી જીવોની ગતિ તથા વિગ્રહ ગતિનો કાળ સમજાવે છે.
विग्रहवती च संसारिणः प्राक् चतुर्थ्यः २-२९ વિગ્રહવતી ચ સંસારિણઃ પ્રાફ ચતુર્ભ ર-૨૯ વિગ્રહવતી ચ સંસારિણઃ પ્રાકુ ચતુર્ભુ ર-૨૯