________________
૯૬
અધ્યાય : ૨, સૂત્ર-૬
શંકા :- ઉપશમશ્રેણી પર જવા માટે ક્યું સંઘયણબળ જોઈએ ?
સમાધાન :- ઉપશમશ્રેણી પહેલા, બીજા અને ત્રીજા સંઘયણથી જ મંડાય. હાલમાં ભરતક્ષેત્રમાં છઠ્ઠું સંઘયણ હોવાથી ઉપશમ શ્રેણી તથા ઉપશમભાવનું ચારિત્ર શક્ય નથી, પરંતુ ઉપશમ સમ્યકત્વ પામી શકાય છે.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
સૂત્ર (૨-૬) પ્રયોજન :- ઔયિકભાવના ૨૧ ભેદો જણાવ્યા છે.
गतिकषायलिंगमिथ्यादर्शनाज्ञानासंयतासिद्धत्व लेश्याश्चतुश्चतुस्त्र्येकैकैकैकषड्मेदाः
ગતિકષાયલિંગમિથ્યાદર્શનાજ્ઞાનાસંયતાસિદ્ધત્વ લેશ્યાૠતુૠતુત્યેકૈકૈકૈકષડ્મદાઃ
ગતિ-કષાય-લિંગ-મિથ્યાદર્શન-અજ્ઞાન-અસંયત અસિદ્ધત્વ લેશ્યાઃ ચતુઃ ચતુઃ ત્રિ એક એક એક એક ષડ્સેદાઃ
=
=
૨-૬
૨-૬
શબ્દાર્થ :- ગતિ (મનુષ્ય-તિર્યંચ-દેવ-નરક) ચાર ગતિ, કષાય = જેનાથી સંસાર વધે તે (ક્રોધ-માન-માયા-લોભ), લિંગ = ચિહ્ન-વેદ (પુલિંગ - સ્ત્રીલિંગ - નપુંસકલિંગ), મિથ્યાદર્શન = દર્શન મોહનીયના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ, અજ્ઞાન = જ્ઞાનાવરણીય કર્મનો ઉદય - મિથ્યાજ્ઞાન, અસંયત = અવિરતિ, અસંયમી, અસિદ્ધત્વ કર્મનો ઉદય હોય ત્યાં સુધી સિદ્ધત્વ હોતું નથી, લેશ્યા દ્રવ્યથી શરીરનો વર્ણ, ભાવથી અંતરંગ પરિણામ, (કૃષ્ણ-નીલ-કાપોત-તેજો-પદ્મ-શુક્લ એમ છ પ્રકાર), ચતુર = ચાર, ત્રય= ત્રણ, ષડ્ = છ, એક = એક, ભેદ= પ્રકાર.
૨-૬
સૂત્રાર્થ :- ચાર ગતિ, ચાર કષાય, ત્રણ લિંગ, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, અસિદ્ધત્વ, છ લેશ્યા, એમ એકવીશ (૨૧) ભેદો ઔદિયક ભાવના છે.
ભાવાર્થ :- જે ભાવ કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે તેને ઔયિકભાવ કહેવાય છે. સૂત્રકાર આ ભાવોને જણાવવા મુખ્ય આઠ ભેદો રજુ કરે છે.