SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહદિવસ, ૬. મુહૂર્ત, ૩. શકુનબલ, ૮. લગ્નબલ અને ૯. નિમિત્ત બલ. અહીં દિવસને આશ્રીને બળવાન દિવસ અને નિર્બળ દિવસ દર્શાવ્યા છે, એ જ રીતે કઈ તિથિઓમાં પ્રયાણ કરવું, કઈ તિથિમાં શિષ્યને દીક્ષા આપવી વગેરે વિધિઓ દર્શાવી છે. ત્રીજું નક્ષત્રદ્વાર સમગ્ર ગ્રંથમાં મોટામાં મોટું છે. આમાં પ્રસ્થાન માટેના નક્ષત્રો, અનશન ગ્રહણના નક્ષત્રો, દીક્ષા ગ્રહણમાં ત્યાજ્ય નક્ષત્રો, લોચ કરવા માટેના નક્ષત્રો, લોચકરણમાં વર્જ્ય નક્ષત્રો, શિષ્યને દીક્ષા આપવાના તથા વ્રતસ્થાપનાના નક્ષત્રો, ગણિ-વાચકને અનુજ્ઞાના નક્ષત્રો, ગાસંગ્રહના નક્ષત્રો, ગણધર સ્થાપનાના નક્ષત્રો, વિદ્યાધારણના નક્ષત્રો, મૃદુકાર્યસૂચક મૃદુ નક્ષત્રો, તપ કરવા માટેના ઉંચ નક્ષત્રો, કાર્યારંભના નક્ષત્રો, આદિ દર્શાવેલાં છે. આ નક્ષત્રપ્રકરણમાં જ્ઞાનવૃદ્ધિ માટેના નક્ષત્રો દર્શાવેલાં છે. मिगसिर अद्रा पुसो तिथि व पुब्वाईमूलमस्सेस हत्थो चित्ता य तहा दस वुड्डिकराई नागस्स ।। २३ ।। મૃગશીર્ષ, આર્દ્રા, પુષ્ય, ત્રણ પુર્વા, મૂળ, આશ્લેષા, હસ્ત, ચિત્રા આ દસ જ્ઞાનને વૃદ્ધિકર નક્ષત્રો કહ્યા છે. ઠાણાંગ સૂત્રમાં દર્શાવાયેલા જ્ઞાન વૃદ્ધિકર નક્ષત્રો સાથે આ પાઠ મળતો આવે છે, એ જ રીતે તપ પ્રારંભ કરવાના નક્ષત્રો દર્શાવે છે; महा भरण पुव्वाणि तिन्नि उग्गा विवाहिया તેસુ તવ છુખ્ખા સમિંતર-વારિ ||રૂ|| મઘા, ભરણી, ત્રા પૂર્વ ઉંચ નક્ષત્રો કહેવાયા છે. આ ઉગ્ન નક્ષત્રોમાં અત્યંતર અને બાહ્ય તપનો પ્રારંભ ક૨વો. ‘દેવેન્દ્રસ્તાવ પથન્ના' એક પ્રાચીન પયશા સૂત્ર છે. આ સૂત્રનો નંદીસૂત્ર અને પાક્ષિક સૂત્રમાં ઉલ્લેખ મળે છે. સં. ૧૧૮૦માં રચાયેલ પાક્ષિકસૂત્રવૃત્તિમાં આ પયજ્ઞાનો પરિચય મળે છે. આ યન્નાના કર્યા સિરિ ઇસ્તિયાલિય ઘેર (શ્રી ઋષિપાલિત સ્થવિર)નો નામોલ્લેખ મળે છે. આ ગ્રંથમાં કુલ ૩૧૧ ગાથાઓ છે. આ ગ્રંથ બાબુ ધનપતસિંહ (મુર્શિદાબાદ), બાલાભાઈ કકલભાઈ (અમદાવાદ), આગોદય સમિતિ, હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા, મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ)થી મૂળ તથા આગમ સંસ્થાન (ઉદયપુર)થી હિંદી અનુવાદ સાથે પ્રકાશિત છે. આ પયજ્ઞાના પ્રારંભમાં ઋષભદેવ ભગવાન અને મહાવી૨ સ્વામીને નમસ્કાર કરી મંગલાચરણ કર્યું છે. શ્રમણ ભગવાનશ્રી વર્ધમાન સ્વામીના વિહારકાળ દરમિયાન શાસ્ત્રોનો અભ્યાસી કોઈ શ્રાવક પાંતાના ઘરમાં પ્રભાત પૂર્વે પરમાત્માની ભાવભરી સ્તુતિ કરે છે. આ સમયે તેની પત્ની હાથ જોડી આ સ્તવના સાંભળે છે. શ્રાવકની સ્મ્રુતિમાં ૩૨ દેવેન્દ્રોની વાત આવે છે. આ ૩૨ દેવેન્દ્રોના ઉલ્લેખને ધ્યાનમાં લઈ શ્રાવકપત્ની દેવેન્દ્રો સંબંધી તેર પ્રશ્નો પૂછે છે. ૧. ૨. દેવેન્દ્રોનાં નામ સ્થાન પ્રબુદ્ધ સંપા જ્યોતિષશાસ્ત્રમાં પ્રસિદ્ધ અમુક પ્રકારના તિથિભાગને ‘કરણ’ કહેવામાં આવે છે. આ ગ્રંથમાં કરણના ભેદ જણાવી દીક્ષાપ્રદાન, સ્થાપન, ગણિ-વાચકાનું જ્ઞા તથા અનશન કરવા માટે ના કરશોનું નિરૂપણ કરેલ છે. પાંચમું દ્વાર ગ્રહદિવસ એટલે વારા’નું છે. આમાં દીક્ષા અને તપ કરવાના ‘વારો' દર્શાવ્યા છે. દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણક સ્થિતિ ભવન પરિગ્રહ વિમાન સંખ્યા ભવન સંખ્યા ૭. નગર સંખ્યા ૦૮. પૃથ્વી બાહય ચાઈ ૦૯. ભવનની ઊંનિઃશ્વાસ ૧૦. વિમાનોનો રંગ ૧૧. આહારગ્રહણ ૧૨. ઉચ્છવાત ૧૩. અવધિવિષય ૬૬ ૪૯ થી ૫૮ ગાથામાં મુહૂર્ત દ્વાર દર્શાવાયું છે. અહીં પણ મુહૂર્તના ભેદ દર્શાવી દીક્ષા આદિના મુહૂર્તો દર્શાવેલા છે. સાતમું દ્વાર શકુનબળનું છે. આ દ્વારમાં દીક્ષાપ્રદાન, સમાધિકરણ, આગમન, સ્વાધ્યાયકરણ, વ્રતોપસ્થાપન, અનશન, સ્થાનગ્રહણ, હર્ષ આદિનું સૂચન ક૨ના૨ા શકુનો તથા સર્વકાર્યમાં સ્વીકાર્ય અને છોડવા યોગ્ય શકુનો દર્શાવેલા છે. આઠમું દ્વાર લગ્નનું છે. જ્યોતિષશાસ્ત્રમાં પૂર્વ દિશામાં ઉદિત થતી રાશિને લગ્ન કહેવાય છે. આમાં ચ૨, સ્થિર, દ્વિસ્વભાવ, લગ્નમાં કયા કાર્ય કરવા, કયા કાર્ય ન કરવા તેની ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત આમાં સૂર્યોદયથી પ્રત્યેક કલાકના હીરાઓની પણ વિસ્તૃત ચર્ચા કરી છે. મું પ્રકરણ નિમિત્તનું છે. આ પ્રકરણમાં શિષ્ય-શિષ્યાની દીક્ષાના નિમિત્તો, વર્જ્ય નિમિત્તો નિમિત્તનું પ્રાધાન્ય અને દીક્ષા આદિ કાર્યમાં ગ્રાહ્ય અને વર્જ્ય નિમનો દર્શાવેલા છે. દીક્ષા, વિદ્યાભ્યાસ, લાંચ આદિ સાધુ જીવન માટે મહત્ત્વપૂર્ણ ઘટનાઓ અંગેના મુહૂર્ત માટેનો ઉત્તમ માર્ગદર્શક બની રહે એવો ગ્રંથ છે. આ પયજ્ઞામાં વર્ણવેલ મુહૂર્ત પ્રકરણ અને આરંભાસાત (ઉદયપ્રભુસૂરિ) નારચંદ્ર જૈન-જ્યોતિષ આદિ ગ્રંથોનો તુલનાત્મક અભ્યાસ પણ ઉપયોગી થઈ શકે. ૩ ૪. ૫. એના પ્રત્યુત્તરમાં ગાથા ૧૨ થી ૨૭૬ સુધી શ્રાવક વિસ્તારથી આ પ્રશ્નોના ઉત્તર આપે છે. ત્યાર પછી ગાયા ૨૭૩ થી ૨૮૨માં ધૃષ્ટત્ત્પ્રાગભાર પૃથ્વી (સિદ્ધશીલા)નું વર્ણન છે. ગાથા ૨૮૩ થી ૨૯૫માં સિદ્ધ ભગવંતોના ઉપયોગનું સ્થાન-ર્સ સ્થાનાદિનું વર્ણન છે. બાદમાં સિદ્ધ ભગવંતોનો ઉપયોગ, સુખ તેમજ જિનેશ્વરોની મહિનો ઉલ્લેખ મળે છે. અંતે આ સૂત્રના કર્તાનો નામોલ્લેખ મળે છે. આ પ્રકીર્ણકની કેટલીક ગાથાઓ જ્યોતિષ્મરંડ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને આવશ્યક નિર્યુક્તિમાં મળે છે. સિદ્ધ ભગવંતોના સુખનું વર્ણન કરતા કહે છે;
SR No.034161
Book TitlePrabuddha Sampada Agam Grantho Karmvad ane Anekantvadno Sanchay
Original Sutra AuthorN/A
Author
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy