SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતાધર્મ કયા સૂત્રમાં વારંવાર વાગોળાતું માર્મિક, ધાર્મિક અને આધ્યાત્મિક સત્ય એટલે ઈન્દ્રિય વિષય, કામમાંગી અનાસક્ત, અલિપ્ત રહેવું. જે કાચબો શિયાળોથી બચવા પોતાના અંગોને નિયંત્રણમાં ન રાખી, ઢાલમાં છુપાવી ન શક્યો તેને શિષાોએ મારી બાધી પણ જે કાચબાએ પોતાના અવયવો પર સંયમ-નિયંત્રણ રાખ્યું તે પોતાની જાતને બચાવી શક્યો. તેમકે જે સાધક પહેલા ચંચળ કાચબાની જેમ પોતાની ઈન્દ્રિયોનું ગોપન કરતા નથી તે અનંત સંસાર પરિભ્રમાનો દંડ ભોગવે છે પણ જે બીજા કાચબાની જેમ પોતાની ઈન્દ્રિયોને વશમાં રાખે છે તે સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે. નંદીફ્ળના અધ્યયનમાં ઈન્દ્રિયોના વિષ એટલે કામભોગને નંદીફળના વૃક્ષની સાથે સરખાવ્યા છે. જેનાં ફ્લો ખાવામાં મીઠાં મધુર, શીતળ છાયા દેનારી, દેખાવમાં મનમોહક હોવા છતાં ઝેરીલા છે તેમ ઈન્દ્રિયોના વિષર્યા પણ લોભામણા છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા અધ્યયનની ૧૮મી ગાયામાં કિંપાકફળનો ઉલ્લેખ પણ આવા જ સંદર્ભમાં છે. વળી, આકીર્ણ (અશ્વ)ના અધ્યયનમાં અોને પકડવા માટે મનોજ્ઞ ખાદ્ય-પેય પદાર્થો, વાજિંત્રોના સૂરો અને પાંચે ઈન્દ્રિયોને સુખપ્રદ વસ્તુઓ સાથે છટકાં પણ ગોઠવ્યાં છે. જે અર્થો તે વિષયોના શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધમાં મોહાઈ ગયા તે જાળમાં ફસાઈ ગયા અને જે આસક્ત બનતા નથી તે નિર્ભયપણે સ્વતંત્ર વિચરવા લાગ્યા. જ્ઞાત (જ્ઞાતા) નામના પ્રથમ શ્રુતસ્કંધમાં જીવન કથાઓ અને દુષ્ટાંતો દ્વારા ધર્મનું પુષ્ટીકરણ કર્યું છે. જ્યારે ધર્મકથા નામના બીજા શ્રુતસ્કંધમાં ચારે જાતિના દેવોની ૨૦૬ અગ્રમહિષી ઈન્દ્રાણીઓના પૂર્વ ભવના જીવનકથાનકોમનું નિરૂપણ છે. પૂર્વ ભવમાં આ સર્વ દેવીઓ પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં દીક્ષિત થઈ હતી, અને તે સર્વે સંયમી જીવનમાં શિથિલાચારી બની હતી. આ રીતે સંયમની વિરાધના કરી, તેની આર્વાચના-પ્રતિક્રમણ કર્યા વિના જ તે ૨૦૬ સાધ્વીઓ કાળધર્મ પામીને દૈવીરૂપે ઉત્પન્ન થઈ. આગમ સૂત્રોમાં જ્યાં જ્યાં રાજકુમારોને સંયમ લેવાની ભાવના જાગે છે ત્યારે તેઓ પોતાની આઠ પત્ની કે બત્રીસ પત્ની પાસે ન આવતા, પોતાના માતા-પિતા પાસે આવીને આજ્ઞા માંગે છે, તે વાત ઉલ્લેખનીય છે. પોતાની સંયમ મર્યાદા અનુસાર ઉચિત હોય તો જ ઉત્તર આપો જોઈએ તેવું સ્પષ્ટ વિધાન પોકિલા અને સુકુમાલિકાના અનુસંધાનમાં છે. જ્ઞાતાધર્મ કથા સાહિત્યની દૃષ્ટિએ તો ઉત્તમ છે જ પણ તે સમયના નગરોની રચના, મકાનોની રચના અને સંપૂર્ણ સૂત્રકાર કાચો, નંદીફળ, અશ્વના રૂપકથી જે વાતને ગુઢ વાસ્તુશાસ્ત્ર આ કથાઓમાં વર્ણિત છે. જીવન જીવવાનાં મૂલ્યો અને જીવનશૈલીનો માપદંડ પરા દર્શાવ્યાં છે. કરતા હતા તે હવે જિનપાલ અને જિનશિત બે ભાઈઓની ઘટિત ઘટનાથી વધારે મજબૂત કરે છે. નિપાલ રત્નાદેવીના આકર્ષક હાવભાવોમાં લિપ્ત થતા નથી. જ્યારે જિનરક્ષિત રત્નાદેવીના લોભમાં આવીને જમચર્યનો નાશ કરે છે. આજે સાધુજીવનમાં પ્રસરંલી મંત્ર-તંત્ર, દોરા-ધાગાદિ પ્રવૃત્તિ અંગે જ્ઞાતાધર્મ કથામાં સચોટ લાલબત્તી બનાવે છે. ગૃહસ્થ પોતાની ઈચ્છા પ્રમાણે સાંસારિક પ્રશ્ન મુનિને પૂછે ત્યારે મુનિએ પ્રબુદ્ધ સંપા ૨૪ સામાન્ય રીતે શ્રમણોને પોતાના ઉપર મરણાંતિક કષ્ટ આવવા છતાં પણ તે કષ્ટ આપનાર વ્યક્તિને ઉઘાડા પાડતા નથી તેના વિશે અપ્રિય વચન પણ બોલતા નથી. પરંતુ ૧૬મા અમરકંકાદ્રૌ પદી નામક અધ્યયનમાં ધર્મઘોષ સ્થવિર નાગશ્રી બ્રાહ્મણનું રહસ્ય ખોલે છે કારણકે ઝેરના પરિણામવાળું મૃત ક્લેવર જોઈને લોકોના મનમાં કુશંકાઓ ન થાય તે લક્ષ્ય સ્પષ્ટીકરશ કરવું પડ્યું. એ અપવાદમાર્ગ છે. પંચમહાવ્રતધારી સાધુને પંચાંગ વંદન થાય છે, તે રીતે ગૃહસ્થને વંદન થતા નથી. નારદ સંયમી ન હોવા છતાં પાંડુરાજાએ સપરિવાર ત્રણવાર પ્રદક્ષિણા કરીને વંદન કર્યાં. તેનું કારણ તે વિશિષ્ટ કોટિના વિદ્યાધર પુરુષ હતા, બ્રહ્મચારી હતા. ધર્મારાધનાના વચ્ચે કરાતાં પૌષધાદિમાં સાંસારિક સંકો કરી શકાય નહીં તેમ છતાં અભયકુમાર, નંદમણિયાર વગેરે સાંસારિક હેતુથી અક્રમ પોષષ કરે છે. તેમાં પૌષધની વિધિનિયમો એકસરખા હોવા છતાં આગમમાં તેનો ઉલ્લેખ ‘પૌષધ સમાન'નો છે. અહીં કેટલાક મનો વૈજ્ઞાનિક રહસ્યોનું ઉદ્ઘાટન થયું છે. શ્રીકૃષ્કા યુદ્ધ કરવા જતી વેળાએ આત્મવિશ્વાસથી કહે છે હું જીતીશ અને તેમ જ થાય છે. આ હકારાત્મક વિચારણા (Positive Thinking)ની વાત છે. બે મિત્રોને મોરના ઈંડા મળે છે. પહેલો મિત્ર સતત ચિંતવે છે કે આ ઈંડામાંથી એક સુંદર બચ્ચુ જરૂર બહાર આવશે, બીજાને વિશ્વાસ નથી. તે વિચારે છે કે કદાચ બચ્ચું બહાર ન પણ આવે, પરિજ્ઞામે પહેલાને મોરનું સુંદર બચ્ચું મળે છે, જેને શંકા છે તેને બચ્ચું મળતું નથી. આ નકારાત્મક વિચારોનું પરિણામ દર્શાવે છે. આમ, જ્ઞાતાધર્મકથામાં સંયમને દૃઢ બનાવતી કથાઓ મધપૂડાં જેવી રસસભર છે. તેમાંથી એક-એક મધુબિંદુરૂપી અધ્યયનમાંથી જુદી જુદી વૈરાગ્ય રસ નીતરે છે. ઈંડા કહે છે-શ્રદ્ધા રાખો, કાચબા કહે છે-ધીરજ રાખો, ઘોડા કહે છે-વૈરાગ્ય રાખો, ચંદ્ર કહે છે- અપ્રમત્તભાવ રાખો, તુંબડું કહે છે-નિર્લેપભાવ રાખો, દાવદ્રવ કહે છે-સહિષ્ણુતા રાખો, નંદીક્ષ્ણ કહે છે-અનાસક્ત ભાવ રાખો. દૃષ્ટાંત અને લોકભોગ્ય કથાઓ દ્વારા દીધેલો બોધ ધીથી લથપથ રસાળ શીરાની જેમ ગળે ઊતરી જાય તેવું જ્ઞાતાધર્મકથામાં જ્ઞાત થાય છે.
SR No.034161
Book TitlePrabuddha Sampada Agam Grantho Karmvad ane Anekantvadno Sanchay
Original Sutra AuthorN/A
Author
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy