SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ઈસ્લામ અને કર્મવાદ – ડૉ. મહેબૂબ દેસાઈ [ડૉ. મહેબૂબ દેસાઈ ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ છે. ૫૫ જેટલા ઈતિહાસ, સાહિત્યઅને આધ્યાત્મિક વિષય પરનાં તેમના પુસ્તકો પ્રકાશિત થયેલ છે. શ્રી મુંબઈ યુવક સંઘની પર્યુષા વ્યાખ્યાનમાળાના વક્તા છે. ગુજરાતમાં બિનસાંપ્રદાયિક વિચારક, વક્તા અને લેખક તરીકે જાણીતા છે. ‘કર્મ તેરે અચ્છે હૈ તો, કિસ્મત તેરી દાસી હૈ નિયત તેરી અતી હૈ, તો ઘરમેં મથુરા કાશી છે. શાયરીના પ્રથમ મત્લામાં કર્મની વાત છે. સારા કર્મ કરનાર માટે નસીબ તેની દાસી સમાન બની રહે છે. અર્થાત્ તે નસીબનો બળવાન હોય છે. ઈશ્વર તેના પર ખુશ રહે છે. તે ઈશ્વર પાસે જે માર્ગ છે તે પ્રાપ્ત કરે છે. જો કે આ માન્યતા દરેક ધર્મમાં જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. દરેક ધર્મમાં કર્મનો સિદ્ધાંત નૈતિક મૂલ્યોના પાયા પર આધારિત છે. સેવાકીય અને સદ્કાર્યો તંદુરસ્ત વ્યક્તિ અને સમાજ માટે અનિવાર્ય છે. એટલે જ ઈસ્લામ અને હિંદુ બંને ધર્મમાં કર્મનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. ઈસ્લામમાં માનવીના કર્મના આધારે જ જન્નત અને દોઝખનો વિચાર કુરાને શરીમાં આપવામાં આવ્યો છે. એ જ રીતે હિંદુધર્મમાં પણ સ્વર્ગ અને નર્કની પરિકલ્પનાના મૂળમાં પણ કર્મનો સિદ્ધાંત પડેલો છે. આ જ વિચારને આધ્યાત્મિક અભિગમથી ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ સમજાવ્યો છે. ગીતાના ૧ થી ૬ અધ્યાયમાં કર્મયોગ તરીકે તેનું વિસ્તૃત આલેખન થયું છે. કર્મના સિદ્ધાંતને સાકાર કરતો જે શ્લોક વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તે ગીતાનો, બીજા અધ્યાયનો ૪૭મો શ્લોક છે. તેમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે. અર્થાત્ ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કર્યે જા. કારણ કે સારા કે ખરાબ કર્મ કરવાનું તારા હાથમાં છે. તેનું ફળ તારા હાથમાં નથી. તને તારા કર્મનું ફ્ળ તારા ફ્ળને અનુરૂપ જ ઈશ્વર આપશે. ઈસ્લામમાં કર્મને ‘આમાલ' કહેલ છે. કુરાને શરીફમાં વારંવાર ‘આમાલનામા’ શબ્દ વપરાયો છે. ‘આમાલનામા’નો અર્થ થાય છે ‘કર્મપત્રિકા’. દુનિયામાં આપણે જે કંઈ સારા નરસા કર્મો કરીએ છીએ તેની નોંધ ખુદાને ત્યાં રાખવામાં આવે છે. એ નોંધ મુજબ જ વ્યક્તિના કર્મોનો ઈન્સાફ થાય છે. કુરાને શરીફમાં કહ્યું છે. ‘કયામતને દિવસે લોકો જુદી જુદી સ્થિતિમાં કબરોમાંથી નીકળશે અને તેમને દરેકને તેમના માલનામાં બતાવવામાં આવશે.' કુરાને શરીમાં આ વાતને વિસ્તૃત રીતે સમજાવતાં કહેવામાં આવ્યું છે. ‘જેનું આમાલનામું તેના જમણા હાથમાં આપવામાં આવશે તે લોકો ખુશ હશે. તેમને જન્નતમાં મનમાની મોજ પ્રાપ્ત થશે. જન્નતના બાગો તેમના માટે ખુલ્લા હશે. તેમાં મીઠા મેવા તેમને આપવામાં આવશે. આ તમામ તેમના સદ્કાર્યોનો બદલો છે. જે તેમણે દુનિયામાં કર્યા છે.' ૧૯૫ કુરાને શરીમાં એક અન્ય વાક્યનો પણ વારંવાર ઉલ્લેખ છે. ‘અલ્ આમલો બિન્ નિય્યતે' અર્થાત્ ‘કર્મનું ફળ તેના સંકલ્પ પર આધારિત છે' અથવા ‘સદ્કાર્યોનો વિચાર માત્ર પુણ્ય છે.' આમાલ અર્થાત્ કર્મ મુખ્યત્વે કરીને ઈમાન અર્થાત્ વિશ્વાસ સાથે સંકળાયેલ છે. ઈમાન એ ખુદા પરના વિશ્વાસને કહે છે. જેને ખુદામાં વિશ્વાસ છે તેને ખુદાના આમાલ કે સદ્કાર્યોના આદેશમાં પણ વિશ્વાસ છે. ખુદાએ દરેક મુસ્લિમને ત્રણ પ્રકારના સદ્કાર્યો કરવાનો આદેશ આપ્યો છે. જકાત (ફરજીયાત દાન) અને ખેરાત અને સદકો (મરજિયાત દાન). આ ત્રણે દાનના માર્ગો ઈસ્લામના કર્મવાદના સિદ્ધાંતને સ્પર્શે છે. દરેક મુસ્લિમ ઈસ્લામના પાંચ સ્તંભોને માને છે. Üમાન, નમાઝ, રીઝા, ઝકાત અને હજ્જ. આ પાંચે સિદ્ધાંતોને તે ફરજીયાત રીતે અનુસરે છે. ઝકાત તેમાંનો એક સ્તંભ ‘કર્મણ્યેવાધીકારસ્તે મા લેષુ કદાચન, મા કર્મફલહેતુર્ભૂમા તે સંગોડસત્વકર્મણી.' આ એક શ્લોકમાં શ્રીકૃષ્ણ ચાર બાબતો તરફ નિર્દેશ કરે છે. છે. દરેક મુસ્લિમ માટે તે તે ફરજીયાત છે. પોતાની સ્થાવર જંગમ ૧. કર્મ કરવા તું સ્વતંત્ર છે. ૨. પરંતુ તેનું ફળ ભોગવવા તું પતંત્ર છે. ૩. ફ્ળનો હેતુ જ લક્ષમાં રાખીને કર્મ ના કરીશ. ૪. તારો અર્મમાં સંગ ના થશો. દા. ત. મારી પાસે જે થોડાં નાણાં છે તે મારી જરૂરિયાત માટે છે. પણ જો તેની મારે જરૂરત ન હોત અથવા તે મારી જરૂરત કરતાં વધારે હોત તો હું તે જરૂરતમંદને અવશ્ય આપી દેત. આવો વિચાર માત્ર પુછ્ય-સવાબ છે. એ જ રીતે અન્ય એક શબ્દ પણ કુરાને શરીફમાં અનેક વાર વપરાયો છે. તે છે 'ફ્રી સબીલિલ્લાહ' અર્થાત્ 'ખુદાના માર્ગ કર્મ કર.” મિલકતના અઢી ટકા રકમ દરેક મુસ્લિમ દર વર્ષે ગરીબો, અનાથો કે જરૂરતમંદો માટે કપાત કાઢે છે. તેને ઝકાત કહેવામાં આવે છે. આ સાંભ સાથે કર્મવાદનો સિદ્ધાંત સંકળાયેલો છે. ઈસ્લામના કર્મવાદની સૌ પ્રથમ શરત ખુદા પરનું ઈમાન છે. ઈમાન એટલે વિશ્વાસ, શ્રદ્ધા, આસ્થા. જેને ખુદા અને તેના અસ્તિત્વમાં આસ્થા છે, વિશ્વાસ છે, શ્રદ્ધા છે તેને જ તેના સદ્કાર્યોના આદેશમાં વિશ્વાસ છે. સદ્કાર્યોની બીજી કપરી શરત તેની ગુપ્તતા છે. તેમાં દાન કે સદ્કાર્યોની અભિવ્યક્તિને ઝાઝું પ્રાધાન્ય નથી. દાન કે સદ્કાર્યોની અભિવ્યક્તિ કોઈ મુસ્લિમ કરે તો તે ગુનોહ નથી પણ તેનો દેખાડો જરૂરી નથી. કુરાને શરીફમાં કહ્યું છે. ‘તમારા દાનને ઉપકાર જતાવી કે દુઃખ આપીને વ્યર્થ ન કરો. જે પોતાનો માલ લોકોને દેખાડવા માટે ખર્ચે છે, તેને ખુદા પર વિશ્વાસ નથી. અને અંતિમ ન્યાયના દિવસનો પણ તેને ડર નથી.’ હઝરત મહંમદ પયગમ્બર સાહેબે ફરમાવ્યું છે. ‘તે માણસના ખુદાના પડછાયા નીચે છે, જેણે એટલી ઈસ્લામ અને કર્મવાદ
SR No.034161
Book TitlePrabuddha Sampada Agam Grantho Karmvad ane Anekantvadno Sanchay
Original Sutra AuthorN/A
Author
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy