SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ પુનર્જન્મ બંને છે, જીવના પૂર્વજન્મને પુરવાર કરવા આ દર્શનો એક સચોટ ઉદારણ આપે છે. કોઈ અબુધ શિશુના ચહેરા ઉપર ક્યારેક હાસ્ય તો ક્યારેક ડર અને રુદનના ભાવો જણાય છે. આવું એ કારણે બને છે કે એની સામે પોતાના પૂર્વજન્મનું કોઈ ઈષ્ટ કે અનિષ્ટ વિષયનું સ્મરણ ઊભરી આવે છે. આવું સ્મરણજ્ઞાન પૂર્વ જન્મના કોઈ અનુભવોને કારણે આવે છે. પૂર્વના એવા અનુભવોના સંસ્કારો એ જીવના આત્મામાં પડ્યા હોય છે, તે જ આ શિશુને સ્મરણભાન આપે છે. અન્યથા આવું નાનું અને અબુધ બાળક વિષયને ઈષ્ટ કે અનિષ્ટ કેવી રીતે સમજી શકે ? બાળક એ સમજી શકે છે એનું કારણ આ જન્મમાં નહિ પરંતુ ગત જન્મોમાં ક્યારેક એવો અનુભવ થયેલો. હોય. એ અનુભવના પૂર્વજન્મના સંસ્કાર આ બાળકમાં હોવાથી એ હસે અથવા રડે છે. બાળકના આ ઉદાહરણથી એ સિદ્ધ થાય છે કે પૂર્વજન્મ છે. જો પૂર્વજન્મ સાબિત થાય છે તો પુનર્જન્મ પણ પુરવાર થાય છે. કારણ કે જન્મમરણનો પ્રવાહ તો નિત્ય અને અનાદિ છે. અહીં કોઈના મનમાં શંકાપ્રશ્ન ઉદભવી શકે જો આવ જન્મપ્રવાહ નિત્ય અને અનાદિ હોય તો તે જીવે અસંખ્ય વખત મનુષ્ય, પશુ, પંખી કે જંતુનો જન્મદેહ ધારણ કર્યો હોવા જોઈએ અને એ બધા જન્મોના સંસ્કાર પણ તેનામાં હોવા જોઈએ. એ બધા સંસ્કારો જીવાત્માના ચાલુ (વર્તમાન) જન્મમાં જાગવા જોઈએ. એને પરિણામે એ જીવને અળ, ઘાસ, ચણ કે જીવડાં તરફ પણ અનુરાગ થવો જો ઈએ, પરંતુ ખરેખર એમ થતું નથી એનું કારણ શું ? આ દાર્શનિકોનો ઉત્તર છે કે જીવ જ્યારે નવી દેહ ધારણ કરે છે તે દેહ (જાતિ)ને અનુરૂપ કર્મોનો જ વિપાક થાય છે. તેથી તેના વર્તમાન દેહ (જાતિ)ને અનુરૂપ સંસ્કારો જ જાગ્રત થાય છે, બાકીના અભિભૂત રહે છે. જો માનવાવતાર પછી ફરી પશુસૃષ્ટિમાં જીવનો જન્મ થાય તો પશુને અનુરૂપ કર્મસંસ્કારો ઉબુદ્ધ થાય, બાકીના અભિભૂત રહે. મતલબ કે જીવમાં જે રાગદ્વેષ જન્મે છે એનું કારણ પૂર્વજન્મના સંસ્કારો છે અને એ સંસ્કારોની જાગૃતિનું મુખ્ય કારણ જાતિ (મનુષ્ય, પશુ, પંખી, જંતુ) છે. વળી, જીવોનાં જાતજાતનાં શરીરો, જાતજાતના સ્વભાવો અને જુદી જુદી જાતની શક્તિઓનું જીવોમાં વૈચિત્ર્ય દેખાય છે, એનું શું કારણ હોઈ શકે ? એનો ઉત્તર આ દાર્શનિકો આ રીતે આપે છેઃ એનું કારણ જીવે પૂર્વજન્મમાં કરેલાં જુદી જુદી જાતનાં કર્મો છે. જીવ જીવ વચ્ચે જે ભેદ જણાય છે તેનો ખુલાસો પૂર્વજન્મના એ જીવોનાં વિચિત્ર કર્મોને માન્યા-સ્વીકાર્યા વિના થઈ શકતો નથી. એક માબાપના એકસમાન પરિસ્થિતિમાં ઉછરેલાં જોડિયા બાળકોનું ઉદાહરણ જુઓ. એ બંને વચ્ચે કેટલી ભિન્નતા દેખાય છે! એનું કારણ એ બંને જીવોના પૂર્વજન્મમાં એમણે કરેલાં કર્મો અને એની આ જન્મમાં પડતી અસરો સિવાય બીજું કાંઈ નથી. કોઈને એવો પણ પ્રશ્ન થાય કે પૂર્વજન્મ છે એ સ્વીકારીએ તો પૂર્વજન્મના અમુકતમુક વિષયનું જ વર્તમાન જીવનમાં સ્મરણ કે થાય છે, બધા વિષયોનું સ્મરણ કેમ થતું નથી.? મતલબ કે, પૂર્વજન્મમાં પોતે કોણ હતો, ક્યાં હતો, કેવો હતો વગેરે વાતોનું સ્મરણ વર્તમાન જીવનમાં કેમ થતું નથી? એનો ઉત્તર આપતાં આ દર્શનો એમ કહે છે કે આત્મગત જે સંસ્કારો આ જન્મમાં ઉદ્ધૃદ્ધ થાય તે સંસ્કારો જ સ્મૃતિ ઉત્પન્ન કરે. જે સંસ્કારો અભિભૂત રહે છે તે સ્મૃતિ જન્માવતા નથી. સંસ્કાર હોય એટલે સ્મૃતિ થાય જ એવું પ્રબુદ્ધ સંપા ૧૮૬ નથી. સ્મૃતિ-સ્મરણ થવા માટે પૂર્વસંસ્કારની જાગૃતિ થવી જરૂરી છે. દા. ત. બાળપણમાં અનુભવેલ બધી ઘટનાઓનું સ્મરણ આ જન્મમાં પદ્મ, વૃદ્ધાવસ્થામાં આપાને ક્યાં થાય છે ? જેમ દુઃખના ઓથારથી કેટલીક પરિચિત વ્યક્તિને કેટલીક વ્યક્તિ ભૂલી જાય છે તેમ દુઃખના ઓથારે તે પરિચિત વ્યક્તિ વિશેના સંસ્કારો તિરોહિત કરી દીધા હોય છે. જેમ દુ:ખ તેમ મૃત્યુ પણ જીવના અનેક સંસ્કારોને તિરોહિત કરી દે છે. તેથી વર્તમાન જીવનમાં પુર્વાવતા૨ોમાં પોતે કોણ, કેવો, ક્યાં હતો તેનું સ્મરણ થતું નથી. પૂર્વજન્મમાં પોતે કોણ હતો, કેવો હતો, ક્યાં હતો એ બધી વાતની સ્મૃતિને જાતિસ્મરણ કહે છે. આવું જ્ઞાન કોઈકને જ થાય છે અને જેને થાય છે તેના સંસ્કાર ઉદુર્બોધકરૂપે ધર્મકામ કરતો હોય છે. સંસ્કાર ઉદ્બુદ્ધ કરનાર ઉદ્બોધકમાં એક છે ધર્મ અને બીજો જે જાતિમાં થાય તે જન્મ. જીવ જે જાતિ (મનુષ્ય, પશુ, પંખી, જંતુ)માંજન્મ પ્રાપ્ત કરે તેને અનુરૂપ જ સંસ્કારો જાગૃત થાય. છે કોઈને એવો પ્રશ્ન પણ થાય કે જીવના મૃત્યુ સાથે આત્માનું મૃત્યુ અને એના જન્મ સાથે આત્માનો જન્મ થતો હોય છે કે એમ નથી હોતું ? આ દર્શનો આ અંગે સ્પષ્ટ છે. એ કહે છે જો શરીરની ઉત્પત્તિ અને નાશ સાથે આત્માની ઉત્પત્તિ અને નાશને સ્વીકારીએ તો આખી વિચારણામાં બે દોષ આવે. એ છે કૃતહીન અને અાવ્યાગમ્, શરીર સાથે જો આત્માનોથ નાશ થઈ જતો હોય તો જીવને તેણે કરેલાં કર્મોનું ફળ ભોગવવા મળે નહિ. અને જો શરીર સાથે આત્મા ઉત્પન્ન થતો હોય તો જે ભોગવશે તે તેના પોતાના કર્મોનું ફળ કેવી રીતે ગણી શકાય ? જીવનો જન્મ કેમ થાય છે? દેહોત્પત્તિનું કારણ શું છે? આ દર્શનો સ્પષ્ટ કહે છે, પૂર્વ શરીરમાં કરેલાં કર્મોનાં ફળરૂપ ધર્માધર્મ જ જન્મ અને દેહોત્પત્તિનું કારણ છે. ધર્માધર્મરૂપ અદૃષ્ટથી પ્રેરાઈને ભૂતોમાંથી દેહ ઉત્પન્ન થાય છે, ભૂતો પોતે દેહને ઉત્પન્ન કરતાં નથી. જો કોઈ ભૌતિકવાદી દૃષ્ટિબિંદુ ધરાવના૨ એમ કહે કે સ્ત્રીપુરૂષના દેહમિલનથી થતાં શુક્રશોણિત સંયોગને પરિણામે દેહ ઉત્પન્ન થાય છે તો તે વાત પણ પૂર્ણ સત્ય નથી. એવા સંયોગથી હંમેશાં ગર્ભાધાન અને દેહોત્પત્તિ થતી નથી. માટે બરાબર સમજવું જોઈએ કે શુક્રશોણિત સંયોગ દેહોત્પત્તિનું એક માત્ર નિરપેક્ષ કા૨ણ નથી. કોઈ બીજા કારણની પણ એમાં અપેક્ષા રહે છે, અને એ બીજું કારણ છે પૂર્વકર્મ. પૂર્વકર્મ વિના શુક્રોધિત સંયોગ શરીરોત્પત્તિ માટે સમર્થ બનતો નથી. એટલું જ નહીં, સ્ત્રી-પુરુષ, વ્યંઢળ એવા શરીરભેદનો ખુલાસો પણ પૂર્વજન્મ કર્મોને માનવાથી જ મળે છે. પૂર્વકર્મને ન માનીએ તો અમુક આત્માને પુરુષનું, અમુકને સ્ત્રીનું તો અમુકને વ્યંઢળનું શરીર એવી જે વ્યવસ્થા દેખાય છે એનું માનસિક સમાધાન કેવી રીતે થશે ? પૂર્વકર્મને માનીએ તો જ આ વ્યવસ્થાનું તંત્ર સમજી સ્વીકારી શકાય. કહેવાનો મતલબ એ છે કે દેહોત્પત્તિમાં જીવનાં કર્મોને નિમિત્તકારણરૂપ માનવા જોઈએ. રાગદ્વેષપૂર્વક કરાતી ક્રિયા અથવા પ્રવૃત્તિ પોતાનું ફળ આપે જ છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે ક્રિયા તો શરીર કે મન કરે છે પણ અદૃષ્ટ અને તેનું ફળ આત્મામાં ઉત્પન્ન થાય છે, એમ શા કારણે ? આ દર્શનો કહે છે, અનુષ્ટની ઉત્પત્તિમાં ક્રિયા કારણરૂપ નથી, કારણરૂપ છે રાગદ્વેષ. આ રાગદ્વેષનો આશ્રય આત્મા છે, અદષ્ટ પા આત્મામાં જ ઉત્પન્ન થાય છે અને એનું ફળ સુખદુઃખ પણ આત્મામાં
SR No.034161
Book TitlePrabuddha Sampada Agam Grantho Karmvad ane Anekantvadno Sanchay
Original Sutra AuthorN/A
Author
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy