SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ કકર્મભાવ નથી. વિજ્ઞાનથી (કર્મબંધનમાંથી આત્માની) વિમુક્તિ અનુષ્ઠાનોની સાથે સાથે વિજ્ઞાનની કેટલીક શાખાઓનો અભ્યાસ પણ આવશ્યક છે. શરીર-વિજ્ઞાન (Anatomy), મગજ (Brainneuroscience), એ તસ્રાવી ગ્રંથિતંત્ર (Endocrine-Systerm), એનો મગજ સાથેનો સંબંધ (Neuro Endocrine-System), પરિધિગત નાડી સંસ્થાન (Peripheral Nervous Systerm), સ્વતઃ સંચાલિત નાડી-સંસ્થાન (Autonomous Nearvous System), જૈવિક વિજ્ઞાન (Genetics Science) આદિનો ઊંડો અભ્યાસ કરવાથી આધુનિક વિજ્ઞાન અને કર્મવાદની તુલનાત્મક સમીક્ષા થઈ શકે છે. કર્મ શબ્દ ભારતીય દર્શનનો બહુ જાણીતો શબ્દ છે. જૈન, બૌદ્ધ અને વૈદિક બધા દર્શનો દ્વારા એ માન્ય કરવામાં આવ્યો છે. આ ક્રિયાની પ્રતિક્રિયા છે; તેથી તેનો અસ્વીકાર પણ કરી શકાતો નથી. પ્રસ્તુત લેખમાં જૈન દર્શનમાં કર્મની જે વિલક્ષણ વ્યાખ્યા છે તેની અને આધુનિક વિજ્ઞાનની તુલનાત્મક સમીક્ષા કરવામાં આવી છે. દર્શન અને વિજ્ઞાન વચ્ચે હંમેશાં મોટી ખાઈ રહેતી આવી છે. કારણકે વિજ્ઞાન માત્ર પ્રર્યાગીથી સિદ્ધ થયેલાં સિદ્ધાંતો જ માન્ય રાખે છે. જ્યારે દર્શન જ્ઞાનીઓના વચનોને શ્રદ્ધાથી સ્વીકારી વે છે. દર્શ નશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો જો એ કબીજાના સિહો તો ને સમજવાનો પ્રામાણિક પ્રયત્ન કરે તો વિશ્વના ઘણાં પ્રશ્નોના હલ થઈ શકે છે. કર્મ શબ્દ એ જૈન દર્શનનો પારિભાષિક શબ્દ છે, જે એક વિશિષ્ટ અર્થમાં વપરાયો છે. વાચક ઉમાસ્વાતિઓ કર્મની પરિભાષા કરી છે-“સકબાયવાવઃ કર્મશો યોગ્યાન પુદ્દગલનાદત્ત' (૮/૨). અર્થાત્ કાયયુક્ત જીવ જે કર્મવર્ગશાનાં પુદ્ગલોને ગ્રહણ કરે છે, તેને કર્મ કહેવાય છે. આચાર્ય તુલસીજીએ જેન સિદ્ધાંત દીપિકામાં એની વ્યાખ્યા કરી છે-‘આત્મપ્રવૃત્ત્તાકૃષ્ટાસ્તસ્રાયોગ્ય પુદગલાઃ કર્મ:' (૪/૧). અર્થાત્ આત્માની (સત્-અસત, શુભ-અશુભ) પ્રવૃત્તિથી કર્મના બંધને યોગ્ય જે પુદ્ગલોને આકર્ષે છે તેને કર્મ કહેવામાં આવે છે. આમ કર્મવર્ગીશાનાં વિશિષ્ટ પુદ્ગલો જ્યારે આત્મા દ્વારા આકર્ષાય છે, ત્યારે તે કર્મ કહેવાય છે. ગીતામાં કર્મ શબ્દ પ્રવૃત્તિ બી દૃષ્ટિએ જોઈએ તો વિજ્ઞાન પાસે માનવના સર્વાંગીણ યોગક્ષેમ માટે કોઈ અસરકારક ઉપાય નથી. કારણ વિશ્વની પ્રત્યેક ક્રિયા કેવી રીતે (How) થાય છે, તે જ વિજ્ઞાન જણાવી શકે છે. જ્યારે કર્મવાદ આ ક્રિયાઓ શા માટે (Why) થાય છે તે સમજાવી શકે છે. આ બંને સિદ્ધાંતોને- ‘કેવી રીતે’ (How) અને ‘શા માટે’માટે વપરાયો છે. બૌદ્ધ દર્શનમાં એને વાસના અથવા સંસ્કાર (Why) એકબીજાના પૂરક બનાવીએ (Supplementary and Complementary) તો જ કર્મવાદના ગહન સિદ્ધાંતો સહેલાઈથી સમજી શકાશે. દશર્વ કાલિક સૂત્રના ચતુર્થ ‘પર્જિવનિકાય' અધ્યયનમાં ભગવાને કહ્યું છે કે “પ્રથમ જ્ઞાન પછી દયા (આચરા).' એમાં આગળ કહ્યું છે કે જે માણસ જીવ કોને કહેવાય અને અજીવ કોને કહેવાય એ નથી જાણતો તે સંયમનું પાલન કેવી રીતે કરી શકે ? અહિંસાના પાલન માટે જીવ, જીવની જાતો, જીવની ખાસિયતો, આદિ માટે જીવવિજ્ઞાનનો અભ્યાસ કરવો આવશ્યક છે. શ્રી સૂક્તાંગ સૂત્ર (ભાગ ૨ અધ્યયન ૩/૪), શ્રી જીવાવાભિગમ સૂત્ર (૧) ૧૦) આદિ આગમોમાં પણ સૂક્ષ્માતિસૂક્ષ્મ એકેન્દ્રિય (સ્થાવ૨)થી લઈને પંચેન્દ્રિય સુધીના જીવોનું વિશદ્ વર્ણન છે. આને માટે આધુનિક વિજ્ઞાનના વિષર્યા -પ્રાણીશાસ્ત્ર (Zoology), વનસ્પતિશાસ્ત્ર (Botany), અને સૂક્ષ્મજીવશાસ્ત્ર (Microbiology) આદિનો અભ્યાસ ઉપયોગી થઈ શકે છે. જૈન દર્શનના કર્મવાદના સિદ્ધાંતની અને આધુનિક જીવવિજ્ઞાનની ગંભીર સમીક્ષા ‘Jain Biology” માં (લેખક-સ્વ. જેઠાભાઈ ઝવેરી અને મુનિ મહેન્દ્રકુમા૨) ક૨વામાં આવી છે. નિશ્ચય નધમાં કર્મવાદ નિશ્ચય નયની દૃષ્ટિએ આત્મા અને કર્મ બંને તદ્દન ભિન્ન તત્ત્વો છે. શુદ્ધાત્મા કર્મનો કર્તા પણ નથી અને ભોક્તા પણ નથી. વ્યવહાર નયની દૃષ્ટિથી સંસારી આત્મા કર્મનો કર્તા કહેવાય છે. તેનું મૂળ પણ અજ્ઞાન જ છે. શ્રી સમયસારમાં કુન્દકુન્દાચાર્ય સ્પષ્ટ કહે છે કે આત્મા પુદ્ગલકર્મનો નિમિત્ત નૈમિત્તિક ભાવથી પણ કર્તા નથી. કર્મ પુદ્ગલ દ્રવ્ય છે, જડ છે, અચેતન છે; જ્યારે આત્મા ચેતન તત્ત્વ છે અને જ્ઞાન એનો સ્વભાવ છે. આ બંને પર દ્રવ્યોને પરસ્પર પ્રબુદ્ધ સંપા ૧૬૪ કહેવામાં આવે છે. કર્મવર્ગણાને યોગ્ય પુદ્ગલો સમસ્ત લોકમાં ફેલાયેલા છે. સામાન્ય પુદ્ગલ-સ્કંધ આઠ સ્પર્શયુક્ત હોય છે, પણ કર્મવર્ગશાનો પુદ્ગલ-સ્કો માત્ર ચાર સ્પર્શ જ ધરાવે છે-સ્નિગ્ધ રૂક્ષ અને શીત, ઉષ્ણ, તે ચતુઃસ્પર્શી હોવાથી અતિસૂક્ષ્મ છે અને ચર્મચક્ષુથી કે અન્ય સાધનથી જોઈ શકાતા નથી પણ એમાં સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શ હોવાથી તે શક્તિ (Charge) ઉત્પન્ન કરી શકે છે. લોકમાં રહેલાં આ પુદ્દગો ન્યુટ્રલ (Neutral) હોય છે, પદ્મ જ્યારે તે આત્મા દ્વારા આકર્ષાય ત્યારે એ શક્તિશાળી બને છે, Charge થાય છે અને આત્માને શુભ-અશુભ ક્ય આપે છે. સંસારી આત્માની ત્રણ જાતની પ્રવૃત્તિઓ હોય છે–મનની, વચનની અને કાયાની. આ ત્રણ પ્રવૃત્તિઓને જૈન પરિભાષામાં ‘યોગ' કહેવાય છે-મનયોગ, વચનયોગ અને કાયાોગ, યોગની પ્રત્યેક ક્રિયા વખતે કર્મનો બંધ થાય છે. આત્મા અને કર્મનો સંબંધ થાય તેને બંધ કહેવામાં આવે છે. કર્મ આકર્ષતી વખતે જીવના જેવા ભાગ હોય-ભાવના હોય તે પ્રમાણે કર્મની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બને છે. આમ બંધના આ ચાર ભેદ છે. પ્રકૃતિ કર્મનો પ્રકાર, સ્થિતિ એની સમયમર્યાદા, અનુભાગ એની તીાતામંદતા અને પ્રદેશબંધ કર્મસમૂહની રાશિ (સમૂહ) નિશ્ચિત કરે છે. કર્મોની મૂળ જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકૃતિઓ, કર્મોની સ્થિતિ, કર્મોનો અનુભાગ અને કર્મોના પ્રદેશાચ માટે ઉત્તરાધ્યાન સૂત્રનું તેંત્રીસમું અધ્યયન અને કર્મોની વિવિધ ઉત્તર પ્રકૃતિઓ માટે પ્રજ્ઞાપના સૂત્રનું પદ ૨૩ પઠનીય છે. હવે આપણે આ કર્મ-બંધ-ઉદય-પ્રવૃત્તિ-પુનઃબંધના વિષચક્રની વ્યવસ્થાને દાર્શનિક વૈજ્ઞાનિક રૂપે જોઈએ.
SR No.034161
Book TitlePrabuddha Sampada Agam Grantho Karmvad ane Anekantvadno Sanchay
Original Sutra AuthorN/A
Author
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy