________________
સંયમ કબ હી મિલે ?
૩મયોગમાં નીવિત્રં - સાધુતાનું જીવન ઉભયલોકમાં ફલપ્રદ છે.
=
મમ્મી, ભગવાને આ એક એવી વ્યવસ્થા આપી છે
કે જેમાં આલોકની કોઈ જ ચિંતા કરવાની નથી.
પૂરી મોકળાશથી પૂરી અનુકૂળતાથી માત્ર ને માત્ર
પરલોકની જ ચિંતા કરવાની છે.
મમ્મી, સાધુતા એ એવી સ્થિતિ છે, જેમાં આલોકનું સુખ પણ છે
અને પરલોકનું હિત પણ છે - તોપુનું પરોહિતમ્
ઘરે રહીને ય ધર્મ થાય - એવું ઘણા બોલતા હોય છે,
પણ એ ધર્મ કેટલો ને કેવો થતો હોય છે,
એ આપણે બધાં જાણતા જ હોઈએ છીએ,
અને એ થોડા ને કસ વગરના ધર્મને સંસારના મોટા-મોટા પાપો
કેવા ઘોળીને પી જતા હોય છે, એ ય આપણે જાણીએ છીએ. પપ્પા, યુગાદિદેશના ગ્રંથનો એક શ્લોક છે -
क्व गृहस्थाश्रमे धर्मो, यत्राप्यारम्भभीरुभिः ।
एकोदरार्थं षड्जीवा, विराध्यन्ते दिने दिने ॥
ગૃહસ્થપણામાં ધર્મ ક્યાં છે ? કદાચ વધુ કોઈ જ પાપ ન કરાય. કદાચ હ્રદયમાં હિંસાનો ડર પણ હોય
તો ય...માત્ર એક પેટ ખાતર અહીં રોજે રોજ ષટ્કાયના જીવોનો કચ્ચરઘાણ વાળવો જ પડે છે. મમ્મી, શું આ ભયાનક હિંસાનું ફળ નહીં મળે ? એ જીવોને ત્રાસ આપીને, કાપીને, બાળીને, દળીને, તળીને કચરીને, છુંદીને, વાટીને, પીસીને, બાફીને
ને એમની કરપીણ હત્યા કરીને આપણે સુખી થઈશું ?
૭