SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ સંયમ કબ હી મિલે ? જ્યાં સુધી મનના સ્વાસ્થ્યના સુખનો પરિચય નથી થતો, એક વાર આ સુખનો સ્વાદ ચાખવા મળી જાય, પછી તો ત્રણ લોકનું રાજ્ય મળતું હોય ને ? તો ય માણસ એની સામે નજર સુદ્ધા કરવા તૈયાર ન થાય. મમ્મી, ભગવતીસૂત્રમાં કહ્યું છે — કે જેમ જેમ સાધુનો સંયમપર્યાય વધતો જાય, તેમ તેમ તેમનું સુખ ઉપર ઉપરના દેવલોક કરતાં ય વધતું જાય, ને જ્યારે બાર મહિનાનો પર્યાય થાય ને ? ત્યારે તો તેમનું સુખ સર્વ દેવલોકના સર્વ દેવો કરતાં ય વધી જાય. अइक्कमइ सव्वदेवतेउलेस्सं । મમ્મી, શું ભગવાન આપણને દુઃખી કરવા માંગે છે ? શું ભગવાન આપણને વંચિત કરવા માંગે છે ? શું સુખી થવાની બાબતમાં ભગવાનને કોઈ ગેરસમજ થઈ ગઈ છે ? કે પછી શું આપણને ભગવાન કરતા વધારે સમજશક્તિ છે ? Please Mummy, Try to understand, ભગવાને આ સુખનો જ માર્ગ બતાવ્યો છે અને આની સિવાય સુખી થવા માટેનો બીજો કોઈ રસ્તો જ નથી. ઉપદેશમાલામાં કહ્યું છે एग दिवसं पि जीवो पवज्जमुवागओ अणण्णमणो । जइ विण पावड़ मोक्खं अवस्स वेमाणिओ होइ ॥ દીક્ષા લીધાને ફકત એક જ દિવસ થયો હોય
SR No.034141
Book TitleSayam Kab Hi Mile
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy