________________
૬૦
સંયમ કબ હી મિલે ?
જ્યાં સુધી મનના સ્વાસ્થ્યના સુખનો પરિચય નથી થતો, એક વાર આ સુખનો સ્વાદ ચાખવા મળી જાય,
પછી તો ત્રણ લોકનું રાજ્ય મળતું હોય ને ?
તો ય માણસ એની સામે નજર સુદ્ધા કરવા તૈયાર ન થાય.
મમ્મી,
ભગવતીસૂત્રમાં કહ્યું છે —
કે જેમ જેમ સાધુનો સંયમપર્યાય વધતો જાય,
તેમ તેમ તેમનું સુખ ઉપર ઉપરના દેવલોક કરતાં ય વધતું જાય,
ને જ્યારે બાર મહિનાનો પર્યાય થાય ને ?
ત્યારે તો તેમનું સુખ સર્વ દેવલોકના સર્વ દેવો કરતાં ય વધી જાય. अइक्कमइ सव्वदेवतेउलेस्सं ।
મમ્મી,
શું ભગવાન આપણને દુઃખી કરવા માંગે છે ?
શું ભગવાન આપણને વંચિત કરવા માંગે છે ?
શું સુખી થવાની બાબતમાં ભગવાનને કોઈ ગેરસમજ થઈ ગઈ છે ?
કે પછી શું આપણને ભગવાન કરતા વધારે સમજશક્તિ છે ?
Please Mummy, Try to understand,
ભગવાને આ સુખનો જ માર્ગ બતાવ્યો છે
અને આની સિવાય સુખી થવા માટેનો બીજો કોઈ રસ્તો જ નથી. ઉપદેશમાલામાં કહ્યું છે
एग दिवसं पि जीवो पवज्जमुवागओ अणण्णमणो ।
जइ विण पावड़ मोक्खं अवस्स वेमाणिओ होइ ॥
દીક્ષા લીધાને ફકત એક જ દિવસ થયો હોય