________________
૨૦
ડિલે ઇસ ડેન્જરસ
બધા જ વિદનોને ઊભી પૂંછડીએ ભગાડી શકીએ છીએ. પૂ. હરિભદ્રસૂરિ મહારાજા યોગબિન્દુમાં કહે છે - एवं च चरमावर्ते, परमार्थेन बाध्यते । दैवं पुरुषकारेण, प्रायशो व्यत्ययोऽन्यदा ॥ ચરમાવર્ત એ એવી દશા છે,
જ્યાં પુરુષાર્થથી ભાગ્યને હાર માનવી પડે છે. હા, અચરમાવર્તમાં પ્રાયઃ કરીને આનાથી વિપરીત પરિસ્થિતિ હોય છે. પણ ચરમાવર્તની તો આ વાસ્તવિકતા છે. શાસ્ત્રકારો કહે છે - दैवोऽपि शङ्कते तेभ्यः, विनान् कृत्वाऽपि खिद्यति । विघ्नैरनिवृत्तोत्साहाः, प्रारब्धं न त्यजन्ति ये ॥ નસીબ પણ તેમનાથી ગભરાય છે. વિદનોને લાવી લાવીને ય છેવટે થાકી જાય છે. જેમના ઉત્સાહને વિક્નોથી ઉની આંચ પણ આવતી નથી. જેમની લક્ષ્ય પ્રત્યેની યાત્રા અવિરત ચાલુ જ રહે છે. ता दुत्तरो जलणिही ताव य तुंगोऽत्थ मंदरो मेरु । ता गरुआ कुलसेला धीरेहिं ण जा तुलिज्जंति ॥ દરિયો ત્યાં સુધી જ દુસ્તર છે