SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ તડકામાં ન ખાવું ♦ અંધારામાં ન ખાવું • ઝાડ નીચે ન ખાવું ♦ નિર્વસ્ત્રપણે ન ખાવું ♦ ભીના કપડે ન ખાવું લવ યુ ડોટર ખૂબ આસક્તિથી ન ખાવું પશુ-પંખીઓ જમ્યા કે નહીં, એ પણ જોવું જોઈએ. : સીધાં સૂર્યકિરણોમાં ખાવું એ આરોગ્ય અને નીતિથી વિરુદ્ધ છે. : ભોજન બરાબર દેખાય નહીં એ રીતે ખાવું એ જીવદયાનો ત્યાગ છે અને સ્વાસ્થ્યનો જુગાર છે. : ઝાડમાં જીવ-જંતુથી માંડીને સાપ સુધીના પ્રાણીઓ રહેલા હોઈ શકે. ઉપરથી ડાળી-ડાળખાં કે પંખીઓની ગંદકી પડી શકે. માટે ઝાડ નીચે ન ખાવું જોઈએ. : આ દશામાં સ્નાન પણ ઉચિત નથી. આ દશાથી વીર્યશક્તિને ધક્કો પહોંચે છે. મન ક્ષોભિત થાય છે, એકાગ્રતા, યાદશક્તિ અને બુદ્ધિશક્તિ ઘટે છે. માટે આપણી સંસ્કૃતિમાં એવું કહ્યું છે કે સ્નાન કરતી વખતે પણ આંશિક વસ્ત્રો પહેરવા જોઈએ . નિર્વસ્વદશામાં ચોક્કસ પ્રકારનું શારીરિક અને માનસિક પરિવર્તન આવે છે, માટે એ દશામાં લીધેલું ભોજન બરાબર પચતું નથી. : ભીનાં વસ્ત્રો રક્તપરિભ્રમણ અને શારીરિક ધાતુઓ પર ખાસ અસર કરે છે. માટે તે સમયે શરીર ભોજન કરવાને યોગ્ય હોતું નથી. : રુચિપૂર્વક ખાવું અને પાગલ બનીને ખાવું એ બંનેમાં ફરક છે. સ્વાદની લોલુપતા મનની સ્વસ્થતાને તો ખોરવે જ છે, ભોજનનું પ્રમાણ પણ જાળવવા
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy