________________
તો હું આઠ દિવસ સુધી ખાધા વિના ચલાવી શકું.” માણસમાત્રની આ ભૂખ હોય છે.
એને સંતોષતા આવડી જાય તો સંબંધો સોહામણા બન્યા વિના ન રહે.
પોતાની ભૂલ ન હોવા છતાં ય સહર્ષ સ્વીકારી લેવી
અને બીજાની ભૂલને ય પોતાના નામે ચડાવી દેવી એ સામાન્ય માણસના ગજા બહારની વાત હોય છે. એક મહાન વ્યક્તિ જ આ કામ કરી શકે છે. અને એ વ્યક્તિને પોતાની મહાનતાનું ફળ
વહેલા કે મોડા મળે જ છે.
કોઈના સ્વભાવની ઠેસ
આપણને લાગે
ART
ત્યારે એને મોટા ઘામાં ફેરવી દેવી
એ દુઃખી થવાની કળા છે.
અને આવી ઠેસ લાગે ત્યારે
પોતાની જાતને Take it easy કહીને સંભાળી લેવી,
એ સુખી થવાની કળા છે.
આપણી જીદ દુ:ખી થવા માટેની જ હોય,
તો એ માટે
બીજાને દોષ આપવાનો
કોઈ અર્થ જ રહેતો નથી.
My dear,
એક સરસ ઘટના વાંચી હતી.
ઉપાશ્રયમાં ગુરુ બેઠાં છે. કોઈ માણસ આવીને
૨૪૫