________________
DIET
આપણી સંસ્કૃતિએ ભાવના અને વિચારની શક્તિ વિષે
ઘણું ઘણું કહ્યું છે.
મોડર્ન સાયન્સ આ બાબતમાં ઘણા સફળ પ્રયોગો કરી ચૂક્યું છે. જ્યારે તું કહે છે – બહારનું ખાવાનું ‘સારું’ હોય છે, ત્યારે સારાપણાના કેટલાં બધાં પાસાઓને
તું Neglect કરતી હોય છે, એની તને ખબર છે ?
કેટલાંય કામદારોના નિસાસા, કંટાળો, દુઃખ અને પીડા જેમાં ભળેલાં હોય,
કેટકેટલી જીવાતોના મડદાં જેમાં ભળેલાં હોય,
Expiry date-ના સંદર્ભમાં જેમાં અવનવા ગોટાળાઓ હોય,
જેને Food કહેવા કરતાં Food poison કહેવું
Better & correct હોય,
એ જો સારું છે, તો તું ‘ખરાબ’ કોને કહીશ ?
Plese think seriously - ‘What?'
તીખું-તળેલું-મસાલેદાર ભોજન
વિચારોને તામસી બનાવે છે.
પછી એ વ્યક્તિ વાતે વાતે ગુસ્સે થઈ જાય છે.
સતત શંકા-કુશંકા કરે છે. નાની નાની વાતોમાં લડી પડે છે.
ગુનાખોર અને સંકુચિત મનોવૃત્તિનો ભોગ બને છે.
કંદમૂળ પણ તામસી ખોરાક છે.
—
આપણી સંસ્કૃતિમાં ખૂબ કડક શબ્દોમા તેનો નિષેધ કરાયો છે. પુરાણમાં કહ્યું છે
पुत्रमांसं वरं भुक्तं न तु मूलकभक्षणम् ।
મૂળ-વિવિધ કંદમૂળો ખાવા એ દીકરાનું માંસ ખાવા કરતાં પણ વધુ ખરાબ છે.
૧૫
મારી વ્હાલી, ‘માંસ'ની વાત આવી જ છે,
તો તને એક વાત કહી દઉં,