SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ વષ ૨૬ મુ. બળે તે કોઈ ઉદય હેય તે પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગ્રહ છે. સમસ્ત લેક દુઃખે કરી આર્ત છે, યાકળ છે, રાગદ્વેષના પ્રાપ્ત-ફળથી બળ છે, એવો વિચાર નિશ્ચય૩૫ જ વર્તે છે. અને “જ્ઞાનપ્રાપ્તિ કંઈ અંતરાય છે, માટે તે કારાગ્રહરૂપ સંસાર મને ભયનો હેતુ છે, અને લોકોને પ્રસંગ કરવાયોગ્ય નથી,' એ જ એક ભય વિચારવાનને ઘટે છે. મહાત્મા શ્રી તીર્થકરે પ્રિ થ ને પ્રાપ્ત-પરિમહ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે, તે પરિસહનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં “અજ્ઞાનપરિસહ, “દર્શનપરિસહ એવા બે પરિસહ પ્રતિપાદન કર્યા છે કે કોઈ ઉદયગનું બળવાનપણું હોય અને સત્સંગ - પુરૂષને યોગ થયા છતાં જીવને અજ્ઞાનનાં કારણે ટાળવામાં હિમ્મત ન ચાલી શકતી હોય, મુંઝવણ આવી જતી હોય, તે પણ ધીરજ રાખવી, સત્સંગ - પુરૂષને વેગ વિશેષ કરી આરાધવે; તે અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે; કેમકે નિશ્ચય એજ ઉપાય છે; અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે. તે પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતું શી રીતે રહી શકે ? એક માત્ર પૂર્વકર્માણ સિવાય ત્યાં તેને આધાર નથી. તે તે જે જીવને સત્સંગ-સપુરૂષને યોગ થયું છે, અને પૂર્વ કર્મનિવૃત્તિપ્રત્યે પ્રયોજન છે, તેને ક્રમે ટાળવાજ ગ્ય છે એમ વિચારી, તે જ્ઞાનથી થતું આકુળવ્યાકુળપણું તે મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું. એ પ્રમાણે પરમાર્થ કહીને પરિસહ કહ્યા છે. - શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે, ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે, કે એક આ, જીવ સમજે તે સહજ મોક્ષ છે, નહીંત અનંત ઉપાય પણ નથી અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે, તે જ માત્ર સમજવું છે; અને તે કોઈ બીજાના સ્વરૂપની વાત નથી, કે વખતે તે ગાવે, કે ન જણાવે તેથી સમજવું ન બને. પિતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા છે? પણ સ્વપ્નદશામાં જેમ, ન બનવાગ્ય એવું, પિતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપગે આ જીવ પિતાને, પિતાનાં નહીં એવાં બીજા દ્રવ્યને વિષે, અપણે માને છે; અને એજ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે. નરકાદિગતિને હેતુ તેજ છે; તેજ જન્મ છે, મરણ છે, અને તેજ દેહ છે, દેહના વિકાર છે; તેજ' પુત્ર, તેજ પિતા, તેજ શત્રુ, તેજ મિત્રાદિ ભાવ Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy