SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ પરંપરા અને પ્રગતિ ભાઈ હઠીસિંગનું અવસાન થયેલું. તેનો ઘેરો શોક કુટુંબમાં હતો. આમ, અનેક પ્રતિકૂળતાઓ હતી છતાં તેમનાં રૂઢિચુસ્ત સાસરિયાંના આગ્રહ આગળ માતાને નમતું જોખવું પડ્યું. ૧૯૧૫ના મે મહિનામાં તેમના લગ્નનો પ્રસંગ સાદાઈથી ઊજવવામાં આવ્યો. શારદાબહેન શાંત, સૌમ્ય અને સ્નેહાળ પ્રકૃતિનાં ગૃહિણી બન્યાં. મોહિનાબાની માફક તેઓ પણ માતૃપક્ષે નગરશેઠ કુટુંબનાં હતાં. વળી સાસુની જેમ ધર્મપરાયણ અને વ્યવહારદક્ષ પણ ખરાં. આ ઉમદા સન્નારી કસ્તૂરભાઈના કુટુંબમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયાં. કસ્તુરભાઈ આમ વ્યવસાયમાં તેમ સંસારમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે ઉજજવલ ભાવિનો શુભ સંકેત દર્શાવતા સંજોગોના શાતાનુકૂલ પવનનો આફ્લાદક સ્પર્શ અનુભવી રહ્યા હતા. - ટીપ '૧. તે જમાનામાં આશાસ્પદ ભાવિ ધરાવતા પુત્રો માતાને પ્રસન્ન રાખવા પોતાની કારકિર્દીનો ભોગ આપતાં પણ ખચકાતા નહિ તેનું એક જવલંત દૃષ્ટાંત વિખ્યાત ધારાશાસ્ત્રી લલ્લુભાઈ આશારામનું છે. ૧૮૯૦માં લલ્લુભાઈ એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયેલા અને તેમની ઉંમર એ વખતે માત્ર ઓગણીસ વર્ષની હતી. તેમને સિવિલ સર્વિસની પરીક્ષા માટે વિલાયત મોકલવાનો આર્થિક પ્રબંધ તેમના પિતાશ્રી આશારામભાઈ વિચારતા હતા. પરંતુ તેમનાં માતુશ્રીએ સાફ કહી દીધું કે, “હાનાભાઈને તમે સૌ આટલે બધે આઘે ત્રણ-ત્રણ વર્ષ માટે દેશનિકાલ કરશો ને તો હું સાફ કહી દઉં છું કે એ મારાથી ખાવાનું નથી. ચિંતામાં ને ચિંતામાં મારો દેહ પડી જશે, એ નક્કી.” માતાનાં આ વચનો સાંભળીને લલ્લુભાઈએ એ ઘડીથી જ વિલાયત જવાની અભિલાષાને દેશવટો આપ્યો ને કહ્યું, “માતાને ન ખપે તે શા ખપનું?” (આદશા, પૃ. ૮૦– ૮૩). ૨. શંકલા, પૃ. ૧૨; KD I[, p. 3 તા. ૫-૧૦-૬૪ની ધ૩. એજન; સંચય, પૃ. ૧૩.૪.KD II, p. 3. ૫. KD II, pp. 3–4. ૬. KD II, p. 4. ૭. સંચય, પૃ. ૧૩. ૮. એકલા, પૃ. ૧૫. ૯. KD, p. 21. ૧૦.KD, p. 1. Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy