SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન રેખા ૧૯૯ મજૂરોના વેતનમાં કાપ. મજૂરોની એકવીસ દિવસની હડતાળ. ગાંધીજીના ઉપવાસ. સમાધાન. લવાદી સિદ્ધાન્તનો સ્વીકાર. મંત્રણાઓમાં કસ્તૂરભાઈનો હિસ્સો. ૧૯૧૮ : ગુજરાતમાં દુષ્કાળ રાહત સમિતિના એક મંત્રી તરીકે કસ્તૂરભાઈની સક્રિય કામગીરી. ૧૯૧૮ : મિલના વહીવટ અંગે કસ્તૂરભાઈએ કરેલા કેટલાક નિયમો. ૧૯૨૦, ફેબ્રુઆરી, ૨૫ : મજૂર મહાજન સંઘની સ્થાપના. ૧૯૨૦ : મજૂરોના પગારવધારા બાબત ગાંધીજી સાથે સમાધાન. ૧૯૨૦ : નરુભાઈ સાથે યુરોપની પ્રથમ મુસાફરી. પરદેશી ચલણમાં નાણાના રોકાણથી નુકસાન. ૧૯૨૧ : સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા. તેમના કહેવાથી કસ્તૂરભાઈ તથા તેમના ભાઈઓએ યુ. પ્રાથમિક શાળા માટે રૂપિયા પચાસ હજારનું દાન આપ્યું. તેનાથી દાનના પ્રવાહના શ્રીગણેશ. ૧૯૨૧ : અમદાવાદમાં મજૂરો અને માલિકો વચ્ચે બોનસ અંગે ઝઘડો. માલવીયજીની મધ્યસ્થી. ૧૯૨૧, ડિસેંબર : અમદાવાદમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન. મોતીલાલ નેહરુ સાથે સંબંધ. રાષ્ટ્રભક્તિનું સિંચન. ૧૯૨૨ : અશોક મિલ ચાલુ થઈ. ૧૯૨૨ : પગારકાપને કારણે અમદાવાદના મિલમજૂરોની હડતાળ. ૧૯૨૨, માર્ચ, ૧૮ : અમદાવાદની સેશન્સ કોર્ટમાં ગાંધીજી સામે ચાલેલા ઐતિહાસિક મુકદ્મામાં કસ્તૂરભાઈની હાજરી. ૧૯૨૨, ડિસેંબર : વડી ધારાસભામાં મિલમાલિક મંડળના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા. ૧૯૨૩ : પગારઘટાડાને કારણે મજૂર હડતાળ. ૧૯૨૩ : કાકાઓની આર્થિક બેહાલી. સરસપુર મિલ ફડચામાં. કસ્તૂરભાઈ વહીવટદાર નિમાયા. ૧૯૨૩ : સ્વરાજ પક્ષની સ્થાપના, અમદાવાદ તથા મુંબઈના મિલમાલિકોએ Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy