________________
રોપ્રાદષ્ટિઃ વિવિધ અનુષ્ઠાન અને તેનું ફલ
(૩૮૯) દેષ ન ઉપજે. દોષ દૂર તે થાય છે, પણ તે દૂર થવાની પરંપરા ચાલુ રહેતી નથી. એક દેષ દૂર થાય ત્યાં બીજા ઉભા જ છે. “આંધળો વણે ને પાડો ચાવે” એના જેવી પરિસ્થિતિ થાય છે ! કારણ કે તેમાં ગુલાઘવ-ચિંતાદિ નિયમથી દેતા નથી; અર્થાત ગુણ–દેષના ગુરુલઘુભાવના પ્રમાણનું ભાન અત્ર હેતું નથી. એટલે આર્યજને એને બાહ્ય-અપ્રધાન માને છે, કારણ કે તે અંદરખાનેથી મેલું છે, મલિન છે, અને દુષ્ટ રાજાના પુરને સુંદર કિલ્લાના યત્ન જેવું તે છે. કિલ્લાથી બહારના આક્રમણ સામે રક્ષણ મળે છે, પણ અંદરખાનેથી રાજા જ પિતે પ્રજાને લૂંટીને પીડે છે ! ત્યાંની પ્રજાની આબાદી કેમ થાય ? તેમ આ સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનમાં બાહ્ય દેશને અભાવ છતાં, અંદરખાનેથી આ કુરાજા જેવા તત્ત્વજ્ઞાનરહિત પુરુષના અજ્ઞાન દોષને લીધે ગુણવૃદ્ધિ થતી નથી. (૩) ત્રીજાથી દોષનિગમ થાય છે, દોષ દૂર થાય છે, અને નિયમથી તે સાનુબંધ હોય છે, અર્થાત્ દેષ દૂર થવાની પરંપરા ચાલ્યા કરે છે, એક પછી એક દોષ દૂર થવાનું અનુસંધાન ચાલુ રહે છે. આ દોષવિગમને ઘરની આદ્ય ભૂમિકાના આરંભ સાથે સરખાવવામાં આવ્યું છે. ઘરને પાયે મજબૂત હોય, તે તેના ઉપર માળના માળ ઉપરાઉપરિ ચણી શકાય છે, તેમ આ અનુષ્ઠાનમાં ઉત્તરોત્તર દેષ દૂર થવાને અનુબંધ થયા જ કરે છે. આવું આ અનુષ્ઠાન ગુલાઘવ ચિંતાથી યુક્ત હેઈ, ગુણદોષના પ્રમાણને બરાબર ભાનવાળું હેઈ, તેવું અનુબંધવાળું ઉદાર ફલ આપે છે. જેથી કરીને અત્રે એય પ્રવૃત્તિ સંદેવ મહોદયવાળી હોય છે. આવું આ અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન કુલગીઓને હોવાથી તેઓને સાનુબંધ ક્ષ્ય પ્રાપ્તિ હોય છે.
असंमोहसमुत्थानि त्वेकान्तपरिशुद्धितः । निर्वाणफलदान्याशु भवातीतार्थयायिनाम् ॥ १२६ ॥ એકાંતે પરિશુદ્ધિથી, અસમેહરૂ૫ કર્મ;
ભવાતીત અર્થગામિને, શીધ્ર દીએ શિવશર્મ. ૧૨૬. કૃત્તિ:-સંકોતમસ્થાનિ–અસંમેહથી ઉદ્ભવેલા, યથાક્ત અસ મેહરૂપ નિબંધન-કારણવાળા, તે જ કમેં તુ-તે, વળી, પાત્ત પરિશુદ્ધતા–એકાંત પરિશુદ્ધિરૂપ કારણથી,-પરિપાક વશે કરીને; શું ? તે કે-નિર્વાણાન્યા-શીધ્ર નિર્વાણ ફલ દેનારા છે. કેને ? તે માટે કહ્યું-વાતીતાર્થાધિના-સંસારાતીત અર્થ પ્રત્યે ગમન કરનારાઓને, એટલે સમ્પફ પરતવડીઓને–પર તત્ત્વ જાણનારાઓને એમ અર્થ છે. * " तृतीयादोषविगमः सानुबंघो नियोगतः । गृहाद्यभूमिका पाततुल्यः कैश्चिदुदाहृतः ॥ एतध्ध्युदग्रफलदं गुरुलाघवचिंतया । अतः प्रवृत्तिः सर्वैव सदैव हि महोदया" ॥
–(આધાર માટે જુએ) યોગબિંદુ