________________
(૬૫૦)
ગદષ્ટિસમુચ્ચય
આકૃતિ: ૧૮
ભાવ
અભાવ? ક્ષણિકવાદી { ભાવ
અભાવ * ભાવ અભાવ | નો અભાવ ભાવ
( અભાવ
ભાવ ? અહીં ક્ષણિકવાદી જે યુક્તિથી પોતાના મતનું સમર્થન કરે છે, તે જ યુક્તિથી તે ક્ષણિક મતનું ખંડન શાસ્ત્રકાર મહર્ષિએ કુશળ ન્યાયશાસ્ત્રીની જેમ અજબ કુશળતાથી
ન કરી બતાવી, વાદીની દલીલ વાદીના મુખમાં પાછી આપી છે, ત્યારે એના જ ન્યાયે તેને નિરુત્તર-મૌન રહેવા શિવાય છૂટકે નથી. તે આ પ્રકારે -પૂર્વ એનું ખંડન ક્ષણે જે ભાવ છે, તે જ ઉત્તર ક્ષણે પર્યાયાંતર પામી અન્યથા હોય છે
“અન્યથા ભવતિ,’ એમ કાઈ કહે છે. ત્યારે ક્ષણિકવાદી આ પ્રમાણે દલીલ કરી તેનું ખંડન કરે છે-“તે અન્યથા કેમ હોય? જે અન્યથા હોય, તે તે કેમ હોય? અર્થાત્ તે ભાવ બીજા પ્રકારે કેમ હોય ? અને બીજા પ્રકારે હોય તે તે ભાવ કેમ હોય? માટે અન્યથા ભવતિ–તે ભાવ અન્યથા હોય છે તે ઘટતું નથી.” હવે એ જ ન્યાયે, આગલી–પાછલી ક્ષણે છે તે જ વર્તમાન ક્ષણે નથી એમ માની, “s a = મવત્તિ' –તે જ છે નહિં, એમ જે ક્ષણિકવાદી કહે છે, તે પણ ઘટતું નથી. કારણ કે તે જ એ ભાવ-હોવાપણું બતાવે છે, અને “છે નહિ' એ અભાવ–નહિં હોવાપણું બતાવે છે. આમ એક સ્થળે ભાવ-અભાવ પરસ્પર વિરુદ્ધ છે. કારણ કે તે જ ભાવ છે, તે તે કેમ ન ભવતિ –કેમ નથી હોત ? અને જે તે અભવત્ છે-છે નહિ, તે તે ભાવ કેમ? અર્થાત જે “ભાવ” છે તે “ન ભવતિ” કેમ? ને જે “ન ભવતિ' છે તે “ભાવ કેમ...? આમ આ વિરુદ્ધ છે. માટે તે જ નથી હેતે એ ક્ષણિક પક્ષ ઘટતું નથી.
વળી વર્તમાન ક્ષણે જ “ભાવ”ને ક્ષણિકવાદી સ્વીકાર કરે છે, પણ આગલી–પાછલી ક્ષણે તે “ન ભવતિ” તે નથી હોત-અભાવ છે એમ તે કહે છે. તેમાં પણ અનેક વિરોધ આવે છે, કારણ કે પૂર્વ ક્ષણે ન હોય, તે વર્તમાન ક્ષણે હેય, તે અસત્ ઉત્પાદ થયે, અર્થાત અભાવમાંથી ભાવની ઉત્પત્તિ થઈ, આ દેષ છે. તેમ જ વર્તમાન ક્ષણે હોય તે ઉત્તર ક્ષણે ન હોય, તે સત વિનાશ થયો, અર્થાત ભાવમાંથી અભાવ થયે, આ પણ પ્રગટ દોષ છે. ઈત્યાદિ અનેક વિરોધ અત્ર આવે છે. (જુઓ . ફૂટનેટ પૃ. ૮૧)
આના ભાવન અર્થે જ કહે છે–
सतोऽसत्त्वे तदुत्पादस्ततो नाशोऽपि तस्य यत् ।
तन्नष्टस्य पुनर्भावः सदा नाशे न तत्स्थितिः ॥१९५।। કૃત્તિઃ -સો-સતનું, ભાવનું, અલ-અસત્વ માનવામાં આવ્યું (‘સ વ મવતિ' તે જ નથી હતે” એ વચનથી.) શું ? તો કે તદુભઃ -તેને ઉત્પાદ, એટલે અસત્વને ઉત્પાદ થશે,-કાદાચિત્કપણાથી (કદાચિત હેવાપણાને લીધે). તો-તેથી કરીને, તે ઉત્પાદને લીધે, નારો િતચ-તે અસત્તને નાશ પણ થશે.