________________
ષોડશકપ્રકરણ
૧૫
મધ્યમબુદ્ધિને આદિ-મધ્ય-અંતમાં હિતકર, ત્રિકોટિપરિશુદ્ધ એવું ઈર્યાસમિતિ વગેરે સાધુજીવન કહેવું. ૨/૮
अष्टौ साधुभिरनिशं, मातर इव मातरः प्रवचनस्य । नियमेन न मोक्तव्याः, परमं कल्याणमिच्छद्भिः ॥५४॥
(તે આ પ્રમાણે ) પરમ કલ્યાણને ઇચ્છનારા સાધુઓએ પ્રવચનની આઠ માતાને, માતાની જેમ કદી છોડવી નહીં. ૨/૧ તત્સવી સવા,
साधोर्नियमान्न भवभयं भवन्ति । भवति च हितमत्यन्तं, फलदं विधिनाऽऽगमग्रहणम् ॥५५॥
અષ્ટ પ્રવચનમાતાથી સદા યુક્ત સાધુને સંસારનો ભય કદી લાગતો નથી અને તે સાધુનું વિધિપૂર્વકનું આગમગ્રહણ ફળદાયક થાય છે, અને અત્યંત હિતકર થાય છે. २/१० गुरुपारतन्त्र्यमेव च, तद्बहुमानात् सदाशयानुगतम् ।
परमगुरुप्राप्तेरिह बीजं, तस्माच्च मोक्ष इति ॥५६॥
વળી (મધ્યમબુદ્ધિને કહેવું કે, ગુરુ પરના બહુમાનપૂર્વક, સદાશય યુક્ત ગુરુપારતંત્ર એ પરમગુરુ(ભગવાન)ની પ્રાપ્તિનું કારણ છે, અને તેનાથી મોક્ષ થાય છે.