________________
પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા શ્રેષ્ઠ એવી વૈયાવચ્ચ, ગૌતમસ્વામી વગેરે પર બહુમાન, જિનાજ્ઞાપાલન, શુદ્ધ જ્ઞાનાદિની પ્રાપ્તિ.. ६९४ एवं गुरुकुलवासं, परमपयनिबंधणं जओ तेणं ।
तब्भवसिद्धीएहि वि, गोअमपमहेहिं आयरिओ ॥७४॥
આ પ્રમાણે ગુરુકુલવાસ મોક્ષનું કારણ હોવાથી તદ્ભવમોક્ષગામી ગૌતમસ્વામી વગેરેએ પણ આચર્યો છે. ७०० सारणमाइविउत्तं, गच्छं पि हु गुणगणेहिं परिहीणं ।
परिचत्तणाइवग्गो, चइज्ज तं सुत्तविहिणा उ ॥५॥
જેણે સ્વજનોને છોડ્યા છે તેવો સાધુ સારણાદિ રહિત અને ગુણરહિત એવા ગચ્છને પણ શાસ્ત્રોક્ત વિધિથી છોડી દે. ९७८ छेअसुआईएसु अ, ससमयभावे वि भावजुत्तो जो ।
पिअधम्मऽवज्जभीरु, सो पुण परिणामगो णेओ ॥७६॥
છેદસૂત્ર ભણાવવાનો શાસ્ત્રમાં કહેલ પર્યાય થઈ ગયો હોય તો પણ જે ભાવયુક્ત, પ્રિયધર્મ અને પાપભીરુ હોય તે જ પરિણામી (યોગ્ય) જાણવો. ९७९ सो उस्सग्गाईणं, विसय-विभागं जहट्ठिअं चेव ।
परिणामेइ हिअंता, तस्स इमं होइ वक्खाणं ॥७७॥
તે ઉત્સર્ગ-અપવાદના વિષયવિભાગને યથાવસ્થિત જાણીને તે પ્રમાણે પરિણાવે છે, તેથી તેનું હિત થાય છે, તેથી તેને જ છેદસૂત્રો ભણાવવા.