________________
આવશ્યકનિયુક્તિઆદિ સૂક્ત - રત્ન - મંજૂષા
नि.५६३ चित्तं बालाईणं गहाय, आपुच्छिऊण आयरियं । जमलजणणीसरिच्छो, निवेसई मंडलीथेरो ॥७२॥
૨૦
બાળ વગેરે સાધુઓની ઇચ્છા જાણીને, આચાર્યને પૂછીને, જોડિયા બાળકોની માતા જેવા (બધા પર સમાન વાત્સલ્યવાળા) સ્થવિર સાધુ માંડલીમાં (ગોચરી વહેંચવા) આવે.
नि.५८० हियाहारा मियाहारा, अप्पाहारा य जे नरा ।
न ते विज्जा तिगिच्छंति, अप्पाणं ते तिगिच्छगा ॥७३॥
જે માણસો હિતકર (પથ્ય), માપસર અને અલ્પ આહાર કરનારા છે, તેમની વૈદ્યો દવા કરતા નથી, તેઓ પોતે જ પોતાના ચિકિત્સક છે. (તેમને દવાની જરૂર પડતી નથી.). भा. २९५ उग्गमदोसाइजढं, अहवा बीअं जहा जहिं गहिअं ।
इइ एसो गहणविहि, असुद्धपच्छायणे अविही ॥७४॥ ઉદ્ગમાદિ દોષોથી રહિત વહોરવું અથવા જે (પાતરામાં) જ્યાં વહોર્યું ત્યાં જ રાખવું, તે વહોરવામાં વિધિ છે. અશુદ્ધ વહોરવું, કે વહોરેલી એક વસ્તુને બીજી વસ્તુથી ઢાંકવી, તે અવિધિ છે.
नि.४१३ एक्काणियस्स दोसा, इत्थी साणे तहेव पडिणीए । भिक्खविसोहि महव्वय, तम्हा सबितिज्जए गमणं ॥ ७५ ॥