SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થમાં અરે નામક અધ્યયનો ઉપયોગ કરવામાં આવે છે. જેમકે અરે ભાઈ ! અહીં આવો. અરે! તે અપરાધી આજ હતો. અરે! મર્કટમુખ સુંદર દેખાય છે. અરે ! આ શું થઇ ગયું. ગોળ - મરો (ઉ.) (પીડારહિત, રોગરહિત, નીરોગી) મત - મત (7). (1. વીંછીની પૂંછડીમાં કંટકાકારે રહેલ પદાર્થ 2. ઇચ્છિતકાર્યમાં સમર્થ, અલાદેવીનું સિંહાસન 4, હરતાલ) સર્પનો ડંખ વ્યક્તિને એક જ વારમાં સમાપ્ત કરી દે છે. જ્યારે વીંછીના ડંખ માણસને જાનથી નથી મારતો. પરંતુ તે ડંખની પીડા એટલી અસહ્ય બની જાય છે કે માણસ વિચારે છે. આવી પીડા સહન કરવા કરતાં મોત આવી જાય તો સારું. વીંછીનો ડંખ તેના મુખમાં નહિ પરંતુ તેની પૂંછડીમાં હોય છે. તેની પૂંછડીમાં કંટકાકારે રહેલ પદાર્થને સંસ્કૃતમાં અલ તરીકે જણાવેલ છે. નં - મન (મ.), (1. સમર્થ 2. પર્યાપ્ત 3. અત્યંત, ઘણું 4. પ્રતિષેધ, નિષેધ . નિરર્થક 6. અલંકરા, ભૂષા) જેમ પર્યાપ્ત માત્રામાં કરેલું ભોજન સ્વાથ્યપ્રદ છે. જેમ એક સીમાથી વધીને ખાવામાં આવે તો તે શરીરને હાનિ કરે છે. તેમ જીવનનિર્વાહ માટે કરવામાં આવતી હિંસા ધર્મસાધનામાં સહાયક બને છે. કિંતુ મોજશોખ પૂરા કરવા માટે કરવામાં આવતી હિંસા આત્મા માટે હાનિકારક સાબિત થાય છે. અતંરા - અ UT (7). (શોભાને કરનાર) અનંal - 17 (ઉં.) (1. આભૂષણ 2. સાહિત્યશાસ્ત્ર 3, શોભા) સ્થાનાંગસૂત્રમાં કહેલું છે કે “અલંકાર ચાર પ્રકારના હોય છે. 1. કેશાલંકાર 2. વસ્ત્રાલંકાર 3. માલાલંકાર અને 4. આભૂષણાલંકાર.' વિવિધ પ્રકારે કેશોને આકાર આપીને માથાને સજાવવું તે કેશાલંકાર. વિવિધભાતના વસ્ત્રો પહેરીને શરીરને શોભાવવું તે વસ્ત્રાલંકાર. જુદા જુદા પુષ્પોની માળા, વેણી, બાજુબંધને ધારણ કરવા તે માલાલંકાર. મુકુટ, કેયૂર, હાર, અર્ધહાર વગેરે આભૂષણોને ધારણ કરવા તે આભૂષણાલંકાર છે. अलंकारचूलामणि - अलंकारचूडामणि (पुं.) (તે નામે પ્રસિદ્ધ એક અલંકારશાસ્ત્ર) અલંકારચૂડામણિ શાસ્ત્રમાં સાહિત્યમાં વપરાતા વિવિધ અલંકારોનું વર્ણન કરવામાં આવેલ છે. આ ગ્રંથની ટીકા પ્રતિમાશતક અને નયોપદેશના કર્તાએ કરેલી છે. अलंकारिय - अलङ्कारिक (पुं.) (નાઈ, હજામ) કહેવાય છે કે ઘણી વખત પરાક્રમ કરતાં ભાગ્ય બળવાન હોય છે. મગધના રાજા ઉદાયી મૃત્યુ પામ્યા બાદ તેમની ગાદીએ કોઈ ઊકળના પુરુષના બદલે લોકોની હજામત કરનાર એક હજામ રાજા બન્યો. જે આગળ જતાં નંદના નામે પ્રસિદ્ધ થયો. મગધ દેશ પર કુલ નવ નંદોએ રાજ્ય કર્યું. અંતિમ નંદનો નાશ ચાણક્યએ ચંદ્રગતમૌર્ય દ્વારા કરાવ્યો અને ત્યારબાદ મૌર્યવંશનો પ્રારંભ થયો. अलंकारियकम्म - अलमरिककर्मन् (न.) (હજામત, સૌરકમ) - 56 -
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy