SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ *મનસ્ (.) (અસંજ્ઞી ,મનરહિત, વિચારશૂન્ય મન) શાસ્ત્રોમાં સિદ્ધભગવંતોને અમના કહેવામાં આવ્યા છે. મુક્તાત્માઓ સર્વપુદ્ગલો રહિત હોવાથી તેમને મન પણ હોતું નથી. મન એ સંસારી પ્રાણીને જ સંભવે છે કેમકે સંસારવર્ધક કે નાશકમાં મન જ કારણભૂત બને છે. જ્યારે સિદ્ધપરમાત્માઓ તો નિતાંત આત્મરમણતામાં જ સંલગ્ન હોય છે. અમI - મમ િ(વ્ય.) (અનલ્પ, થોડું નહિ) મમમ - અમનમાપ (B). (મનને અગ્રાહ્ય, મનને પ્રતિકૂળ, અનિષ્ટ, અમનોહર) જગતમાં અનુકૂળ કે પ્રતિકૂળ વસ્તુ કે પ્રસંગો મનને આશ્રયીને જ છે. આપણું મન જ નક્કી કરે છે કે આ મને અનુકૂળ છે, પ્રિય છે અને આ અપ્રિય છે. એટલે જ જ્ઞાની ભગવંતો ફરમાવે છે કે મને માનેલ પ્રતિકૂળ પરિસ્થિતિ કે પુગલોને વિષે આત્માને વિચલિત થવા ન દેશો. મમનો (B). (અનિષ્ટ, અમનોહર) સમવનાથ (2.) (પીડા કરનાર, દુખોત્પાદક) બીજાને પીડા આપનાર, ઉલ્લુ બનાવનાર એમ ભલે સમજતો હોય કે હું ખૂબ જ હોંશિયાર છું. બીજાને મારા મનોરંજનનું સાધન બનાવું છું. તેને ખબર નથી કે બીજાને મનોરંજનનું સાધન બનાવનાર તે પોતે જ કર્મસત્તાનું રમકડું બની જાય છે. જે દિવસે કર્મસત્તાની નજર હશે ત્યારે તેના પરિણામો વેઠતાં નવજે પાણી ઉતરશે. કહેવાય છે કે કર્મરાજાની લાઠીમાં અવાજ નથી હોતો પણ તેનો માર અનંતા ભવો સુધી પીડા આપે છે. માઇ - અમનો () (મનને પ્રતિકૂળ, અસુંદર, અમનોહર, અનિષ્ટ, અશુભ) આર્તધ્યાન એ ધર્મધ્યાનમાં બાધકતત્ત્વ છે. મનને જયારે પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે ત્યારે તે અત્યંત વિહ્વળ બની ઉઠે છે. અનિષ્ટસંયોગે નિઃસાસા નાંખવા લાગે છે. પરંતુ મળેલ પરિસ્થિતિ સ્વકૃત કર્મને આધારિત છે તેમ વિચારતો નથી. આવી ચિત્તની વિહ્વળ અવસ્થા તે આર્તધ્યાન છે. જે જીવને ધર્મમાર્ગમાં આગળ વધવા દેતું નથી. अमणुण्णतर - अमनोज्ञतर (त्रि.) (અતિશય અસુંદર, અત્યંત અશોભનીય). अमणुण्णसमुप्पाय - अमनोज्ञसमुत्पाद (त्रि.) (અસદનુષ્ઠાનથી ઉત્પન્ન થયેલ દુખ) વ્યક્તિ આ લોકમાં જે દુખ, દરિદ્રતા, પીડાદિ માઠા પરિણામો ભોગવે છે. તેની પાછળ કોઇ ઇશ્વરાદિ કારણભૂત નથી. તેની પાછળ મુખ્ય કારણ છે તો જીવે પોતે કરેલ અસત્કર્મો. માટે જ પૂર્વના ભવમાં કે આ ભવમાં કરેલ અસદનુષ્ઠાનના પ્રતાપે ઉત્પન્ન થયેલ દુખો તો તેણે ભોગવવા જ રહ્યા. અમgr૪ - મનુષ્ય (ઈ.) (1. દેવ વગેરે 2. નપુંસક)
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy