SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ કરવું તમને શોભા નથી આપતું. આજનો કાળ પશ્ચિમી હવામાં રંગાલયો હોવાથી શરમ સાથે કહેવું પડે છે કે આયદિશમાં ઉત્પન્ન થવા છતાં પણ મોર્ડન કહેવાતા લોકો અનાર્યને યોગ્ય આચરણ કરતાં થઇ ગયા છે. મા () -- સ્થાન (જ.) (સર્વવિરતિધર્મ, સંયમસ્થાન) મા (1) ચિરિ () - સાર્વનિ (ગું.) (ન્યાયદર્શી, ન્યાયપૂર્વક જોનારો) કેવલી ભગવંત તો સત્ય અને અસત્ય એ બન્ને ધર્મનો માત્ર બોધ કરાવનારા છે. પછી તે બન્નેમાંથી ક્યા માર્ગ પર ચાલવું તે જીવે સ્વયં નક્કી કરવાનું છે. આપણું પોતાનું કૃત્ય કોઇ જુએ કે ન જુએ. કોઇ જાણે કે ન જાણે પરંતુ પોતાનો આત્મા તો જુએ અને જાણે જ છે. આથી જે ન્યાયદર્શી જીવ છે તે જાહેર સ્થાન તો જવા દો એકાંતમાં પણ અધર્મનું આચરણ કદાપિ નથી કરતાં. મા () કલિઇUI - માર્ચત્ત (ઈ.) (પાર્શ્વનાથ ભગવાનના પ્રથમ ગણધર) () સિ - માર્યા (ઈ.) (આદેશ, આર્યભૂમિ) પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં કહ્યું છે કે જે સ્થાનમાં ચોવીસ તીર્થંકરો, બાર ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ, નારદ વગેરે ત્રેસઠ ઉત્તમ પુરુષો ઉત્પન્ન થતાં હોય અને વિચરણ કરતાં હોય તે તમામ સ્થાન આર્યદિશ છે.” મા (2) વિથM - ધf (6) (આર્યધર્મ, સદાચારધર્મ) જે આચાર વિચારથી સ્વ અને પર એમ બન્નેનું કલ્યાણ થતું હોય તે બધાં જ સદાચાર કે આર્યધર્મ કહેવાય છે. આ સદાચાર શ્રત અને ચારિત્ર એમ બે પ્રકારે કહેલો છે. શ્રત દ્વારા સદાચારોનું જ્ઞાન કરવાનું હોય છે. અને ચારિત્ર દ્વારા તે જ્ઞાત ધર્મોનું પાલન કરવું તે આર્યધર્મ છે. માત્ર જ્ઞાનમાં હોય પણ આચરણમાં ન હોય તો તે આર્યધર્મ બનતો નથી. મા (2) પિત્તિય - પ્રતિ (ઉ.) (તીર્થંકર પ્રણિત, સર્વજ્ઞોપદિષ્ટ) મા (4) - માર્યપ્રજ્ઞ (ઈ.) (શ્રુતવિશિષ્ટ મતિવાળો, શાસ્ત્રજ્ઞ) શાસ્ત્રોના અભ્યાસ દ્વારા જેની મતિ પરિકર્મિત થઈ છે. એટલે કે શ્રુતજ્ઞાનના પ્રતાપે જેની બુદ્ધિ અત્યંત તીક્ષ્ણ અને તીવ્ર થયેલી છે તેવા જીવને ગીતાર્થ અથવા તો આર્યપ્રજ્ઞ કહેવામાં આવે છે. શ્રુતવિશિષ્ટ મતિવાળા જીવને ઉત્સર્ગ અને અપવાદ બન્ને માર્ગનું જ્ઞાન હોવાથી ચારિત્રધર્મનું શુદ્ધ પાલન કરી શકે છે. જયારે અલ્પમતિ કે વિપરીત મતિવાળા જીવને શ્રુતનો સ્પષ્ટ બોધ ન હોવાના કારણે ઉત્સર્ગના કાળે અપવાદનું અને અપવાદના કાળે ઉત્સર્ગ માર્ગનું સેવન કરી બેસે છે. જે સ્વ અહિતકારી અને શાસનની હીલના કરાવનારું બને છે. મરિયપરિભાવિ (1) - માવામિાવિન (ઉ.) (આચાર્યનો પરાભવ કરનાર, આચાર્યની નિંદા કરનાર) નિશીથચૂર્ણિ વગેરે ગ્રંથોમાં આચાર્યનો પરભાવ કરનાર પ્રત્યક્ષ કે પરોક્ષ એમ બે પ્રકારે કહેલા છે. આચાર્ય પદવીને પામેલ જીવને નીચો પાડવા માટે જાતિ, કુલ, કે ગુણાદિના આગળ કરીને તેઓની નિંદા કરે. જેમ કે અરે અમે તો હજુ બાળક છીએ. અમારામાં તો આચાર્ય પદવીની જરાય લાયકાત નથી. એવું કહીને પરોક્ષ રીતે ગુરુ કે આચાર્યાદિનો પરાભવ કરે. તેમ જ પ્રત્યક્ષમાં સીધે સીધું આચાર્યને જ કહે કે તમે તો હજું બાળક જેવા જ છો. તમારામાં આચાર્ય પદને એક પણ ગુણ નથી વગેરે વગેરે. આવા જીવો ભારે કર્મી અને દીર્ઘ મોક્ષગામી હોય છે. 335
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy