SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાનું પાલન કરવાથી થાય છે. જો જ્ઞાનનું ફળ વિરતિ છે, તો વિરતિનું ફળ મોક્ષ છે. શાસ્ત્રોમાં કહેવું છે કે જે જીવ આજ્ઞાનું ખંડન કરે છે તેનું બધું જ નિરર્થક છે. કારણ કે આજ્ઞાભંગથી મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ થતી નથી. હા એટલું ખરું કે કરેલો સદ્ધર્મ ક્યારેય નિષ્ફળ નથી જતો. માટે તે શ્રીમંત કુટુંબ, દેવલોકાદિ સામાન્ય સુખોને જ માત્ર પામી શકે છે. પરંતુ લોકોત્તર સુખથી વંચિત રહી જાય છે. આUTIણ - જ્ઞા #(ઈ.) (આજ્ઞાને ગ્રહણ કરનાર, આગમને સ્વીકારનાર) માWifi - માWI(કિ.) (આગમનો નિશ્ચય, શાસ્ત્રાર્થ) પંચવસ્તુક ગ્રંથમાં કહેલું છે કે “જે પદાર્થનો નિશ્ચય શાસ્ત્રથી થયેલો હોય તેનું કથન પણ સ્વમતિ પ્રમાણે ન કરતાં આગમમાં કહેલી ઉક્તિ અનુસાર જ કરવો જોઇએ. કારણ કે સ્વમતિથી કરવામાં આવેલ કથનમાં પૂર્વાપર દોષ સંભવી શકે છે. જયારે આગમોનું કથન સર્વજ્ઞએ કરેલ હોવાથી તેમાં કોઇ જ પ્રકારનો સંશય સંભવતો નથી.' If yત્ત - જ્ઞાયુt (a.) (આગમાનુસારી, સર્વજ્ઞવચન યુક્ત) શાસ્ત્રમાં કહેલું છે કે “જે સાધુ આજ્ઞાયુક્ત છે અર્થાતુ સર્વજ્ઞવચનાનુસારી પ્રવૃત્તિ કરનારો હોય છે. તેને જ ચારિત્ર સંભવે છે. તેવા સાધુની પ્રત્યેક ક્રિયા કર્મક્ષય કરનારી થાય છે. પરંતુ જે આજ્ઞાયુક્ત નથી તેવા સાધુને તો ચારિત્ર જ સંભવતું નથી, તો પછી કર્મક્ષયની વાત જ ક્યાં રહી? માનનોr () - સાયન (ઈ.) (આતવચન સંબંધિ, સૂત્રાનુસાર પ્રવૃત્તિ) જેમ કોઈ જીવને સર્પ કરડ્યો હોય તો તેનું ઝેર ઉતારવામાં ગારૂડીમંત્ર એ ઔષધનું કામ કરે છે. તેવી જ રીતે આ સંસારમાં જીવોને પાપરૂપી વિષ ચઢેલું છે. અને તેને ઉતારવા માટે સર્વશ વચન એ ગારૂડી મંત્ર સમાન છે. જે જીવ આજ્ઞાયોગને સ્વીકારે છે. તેને કર્મોરૂપી સર્પનું વિષ કાંઈ જ હાનિ પહોંચાડી શકતું નથી. માnિ - સાનિશ () (ઉત્સર્ગ-અપવાદનું પ્રતિપાદન કરવું) શાસ્ત્રોમાં જે રીતે ઉત્સર્ગ અને અપવાદનું કથન કરવામાં આવેલું છે. તેને તે જ રીતે અન્ય સમક્ષ પ્રતિપાદન કરવું તેને આજ્ઞાનિર્દેશ કહેવામાં આવે છે. ગીતાર્થ સાધુ ઉત્સર્ગ અને અપવાદના જાણકાર હોવાથી તેઓ આજ્ઞાનિર્દેશકર છે. અર્થાત શાસ્ત્રોની ઉક્તિઓને યથાસ્થિત કહેનારા છે. પરંતુ જેણે ગીતાર્થ ગુણ પ્રાપ્ત નથી કર્યો અને સ્વેચ્છાનુસાર શાસ્ત્રોના અર્થ કરે છે. તેને શાસ્ત્રમાં ઉસૂત્ર પ્રરૂપક કહેલા છે. आणाणिद्देसयर - आज्ञानिर्देशकर (त्रि.) (આજ્ઞાનો આરાધક, આગમાનુસારી પ્રવૃત્તિવાળો) * માતર (.) (ગુરુવચનાનુસાર નિશ્ચય કરીને સંસારને તરનાર) તીર્થકર, આગમ કે ગુરુએ કહ્યું હોય કે આ કાર્ય આ પ્રમાણે કરવું, અથવા અમુક વસ્તુ ન કરવી. તેને અવધારીને સ્વયં નિર્ણય કરે કે ગુવદિ વચનાનુસાર મારે આ પ્રમાણે કરવાનું છે અને આ પ્રમાણે નથી કરવાનું. તે નિર્ણયાનુસાર પ્રવૃત્તિ કરીને જે સંસારને તરી જાય તેને આજ્ઞાનિર્દેશતર કહેવામાં આવેલ છે. * આજ્ઞાનિર્દેશ્નર (કું.) (આજ્ઞાનો વિરાધક, સ્વચ્છંદી)
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy