SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩મરૂ (fa) રોવવUTI - મરીપત્ર (ત્રિ.) (શીધ્ર ઉત્પન્ન, તરત પેદા થયેલું) આગમ શાસ્ત્રોમાં અધ્યવસાયો (માનસિક દૃઢ વિચારો) ને તગતિવાળા કહેલા છે. જેટલા જલદી ઉત્પન્ન થાય છે તેટલા જ ઝડપથી નાશ પણ પામે છે. એટલે જો મનમાં શુભકાર્ય કરવાનો ભાવ જાગે તો સમયની રાહ જોયા વિના તેનો તાત્કાલિક અમલ કરવો એ જ ખરી બુદ્ધિમત્તા છે. अइरोस - अतिरोष (पुं.) (ક્રોધાતિરેક, ખત્યન્ત ગુસ્સો) કોઈ ઘરમાં આગ લાગી હોય તો તે બાજુના ઘરને તો પછી બાળે છે પરંતુ, જે ઘરમાં લાગી હોય તેને પહેલા બાળે છે. જ્ઞાની પુરુષોએ ક્રોધને પણ અગ્નિ જેવો કહેલો છે. જે ગુસ્સે થઈ જાય છે તે બીજાનું અહિત પછી કરે છે, સૌ પ્રથમ તો એ પોતાનું જ અહિત કરે છે. માટે બને તેટલું ક્રોધથી દૂર રહેજે. મહિર - અતિરોહિત (ત્રિ.) (પ્રકાશિત, પ્રગટ, સાક્ષાત્ સંબંધવાળું, છુટાર્ચયુક્ત) આ જગતમાં સર્વોત્કૃષ્ટ પુણ્યના સ્વામી તીર્થંકર પરમાત્મા જ હોય છે અને તેમના વિશિષ્ટ કુલ પાંચ કલ્યાણક-પ્રસંગો માનવામાં આવ્યા છે. ૧અવન, 2 જન્મ, ૩દીક્ષા, 4 કેવલજ્ઞાન અને પનિર્વાણ. જ્યારે પણ આ પાંચ કલ્યાણક-પ્રસંગો બને છે ત્યારે ત્રણેય લોકમાં ઉદ્યોત (પ્રકાશ) થઇ જાય છે અને તે સમયે નરકમાં રહેલા જીવોને પણ ક્ષણભર સુખનો અનુભવ થતો હોય છે. મ(તિ) નોતુ - તિન્નોલુપ (ત્રિ.) (અત્યન્ત ગૃદ્ધ, રસલોલુપ) યુગપ્રધાન આચાર્ય શ્રી મંગુ માત્ર એક જીભની લોલુપતાના કારણે મરણ પામીને એક ખાળકૂવાના ભૂત બન્યા હતા. સાવધાન ! જાણે ખાવા-પીવા માટે જ આપણો જન્મ થયો છે તેવું માનનારાઓ પર કર્મરાજાની કેટલી મહેરબાની ઊતરશે એ તો જ્ઞાની જ જાણે. મરૂ (તિ) વત્તા - પ્રતિ (વ્રજ) પત્ય (અધ્ય.) (અતિક્રમણ કરીને, ઉલ્લંઘન કરીને 2. પ્રવેશીને) રાજા કુમારપાળ અને શ્રી હેમચંદ્રાચાર્યના ગુજરાતમાં જીવોને હણવાની વાત તો દૂર હતી પરંતુ, ‘માર” શબ્દ બોલવાની પણ મનાઈ હતી. અરે ! શાકને કાપી લીધું ન બોલતા શાક સમારી લીધું કે સુધારી લીધું બોલવાની પ્રથાના સંસ્કાર તો હજુ સુધી ચાલે છે. પરંતુ ખેદની વાત છે કે આજે જીવનમાં હિંસાનું સ્થાન મોખરાનું બની ગયું છે. अइवट्टण - अतिवर्तन (न.) (ઉલ્લંઘન કરવું તે, માત્રાથી અધિક પ્રયોગ કરવો તે, અતિક્રમણ કરવું તે) જે જીવ પ્રાણીવયમાં થનારા દોષને જાણતો ન હોય અને તે હિંસા કરે તો કદાચ તેનો અપરાધ ક્ષમ્ય થાય. પરંતુ અહિંસા પાલનમાં ગુણ અને હિંસામાં થનારા દોષ એ બન્નેનું જ્ઞાન હોવા છતાં પણ જાણી કરીને હિંસા કરે તો તેના અપરાધોને કર્મસત્તા ક્યારેય માફ કરતી નથી. અટ્ટ (ત્તિ) વા (ત્તિ)ન- રિપતન (ત્રિ.) (હિંસા કરનાર, હિંસક, ઘાતકી) હિંસા કરવી એ જ જેનો ધંધો છે તે તો હિંસક છે જ, પરંતુ હિંસક માનસિક વિચારધારા ધરાવનાર પણ એટલો જ ઘાતકી છે. માટે જ શાસ્ત્રોમાં માખી જેવડા તંદુલિયા મચ્છ માટે નોંધ લેવાઈ છે કે, તે ભલે ને હિંસા નથી કરી શકતો, પણ તેના પરિણામો અત્યંત ધાતકી છે. તેથી જ તે મરીને નિયમો સાતમી નરકે જાય છે. વિચારજો મનની હિંસક સોચ ને ! સવાડ્રા - મતિપાયિતૃ (.) (હિંસાના સ્વભાવવાળું, વિનાશક). સ્વભાવ એટલે મનની વૃત્તિ, સાતત્યપૂર્ણ આચરણથી ઘડાતી પ્રકૃતિ. કાલસૌરિક કસાઈનો સ્વભાવ એટલી હદે જીવ હિંસાના 15
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy