________________ મને સ્ફર્યા તે મેં મારા શબ્દોની સીમેંટથી આ મંદિરમાં પ્રતિષ્ઠિત કર્યા છે. સહુને તેમના વાંચનનો લાભ લેવાની આગ્રહભરી વિનંતિ. આ મંદિર'ના વારંવાર વાંચનથી આપણા હૃદય અને જીવનને મંદિર જેવા બનાવવા પ્રયત્ન કરવા. દયાસિંધુ દેવાધિદેવની અમીદષ્ટિ અને અજ્ઞાનાંધકારનાશક ગુરુદેવશ્રી પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજની કૃપાવૃષ્ટિથી જ આ પુસ્તક લખાયું છે. તે વંદનીયોના ચરણોમાં અનંતશઃ વંદના. છદ્મસ્થપણાને લીધે આ પુસ્તકમાં પ્રભુઆજ્ઞાવિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તેનું “મિચ્છામિ દુક્કડ' આપું અને વિદ્વાનોને તેનું સંશોધન કરવા ભલામણ કરું છું. આ મંદિરના વાંચન દ્વારા મુક્તિમંદિરમાં આપણી પ્રતિષ્ઠા થાય એવી શુભકામના. પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજનો ચરણસેવક મુનિ રત્નબોધિવિજય મહા સુદ 5 (૨પમી દીક્ષાતિથિ), વિ.સં.૨૦૭૪, પંકજ સોસાયટી, અમદાવાદ, N