________________ 30 ધન્યકુમાર ચરિત્ર. = 0 વર્તવાથીજ દાનભેગાદિ તું કરી શકે, તે સિવાય કરી શકે નહિ. સમજ હવે. જે કદાચ ઉદ્ધત થઈને તું દાન ભેગ વિગેરેમાં પસે વાપરવા જઇશ તે હું તારે નેવે અંગે ડામ દેવરાવીશ તે પણ ચક્કસ સમજજે.' * બ્રાહ્મણ—મેં ઉપાર્જન કરેલું ધન હું ખરચું તેમાં મને વારી રાખનાર કોણ છે? ઉલટી મારી કીતિરૂપ શોભામાં વધારો થશે.” લક્ષ્મી–આવી ઈચ્છા કદિ પણ ન કરે. કારણ કે કર્મપરિામ રાજાની આજ્ઞાનું ત્રણ જગતમાં કઈ ઉલ્લંઘન કરી શકતું નથી. જે ત્રણ જગતના આધાર તથા ત્રણ જગતને નાશ કે રક્ષણ કરવાને સમર્થ અને અનન્ત બળના સ્વામી શ્રી તીર્થંકર ભગવાન તે પણ કર્મરાજાને અનુકૂળ પ્રવૃત્તિજ કરે છે. તેઓ પણ ભેગને ઉદય હેય ત્યાં સુધી જ તેને ભેગવી કર્મપરિણામ રાજાની અનુકૂળતા પ્રમાણે દાન દીધા પછી વ્રત અંગીકાર કરે છે. માટે તું તે એવડે મોટે કેણ કે કર્મ પરિણામ રાજાને પ્રતિકૂળ થઈને દાનભેગ કરી શકવાને હતે? જે કરીશ તે ધ્યાન રાખજે કે હું તને ન અંગે ડામ દેવરાવીશ બ્રાહ્મણ–જા જા, તું તારું કામ કરે.” લક્ષ્મી—એમ છે! ત્યારે તું પણ દોડી પહોંચ અને તેને ઠીક લાગે તેમ કર.' આટલું બેલી લક્ષ્મી ચાલી ગઈ. હવે પલંગમાં સૂતે સૂતે બ્રાહ્મણ વિચારવા લાગ્યો કેસવારે અમુક ધન લઈને આ શ્રેષ્ઠિ દાન તથા ભોગ કરે છે, તેથી પણ વધારે દાનભેગમાં ખરચવા માંડીશ. આના કરતાં પણ મારી પાસે વિશેષ ધન છે, તેથી દેશ દેશાન્તરમાં મારી કીર્તિ ફેલાય