________________ અષ્ટમ પāવ. 445 નેકર, તથા ધન્યકુમાર વિગેરે શ્રેષ્ઠીઓ લુંછણું કરીને, ભેટ ધરીને તેમજ પ્રણામ કરીને યથાગ્ય સ્થાને બેઠા. તે વખતે પ્રોત રાજાએ ધન્યકુમારને ઓળખ્યા, એટલે કહ્યું કે-“અરે ધન્યકુમાર ! તમે અમારાથી દૂર કેમ રહ્યા કરે છે? અમે કાંઈ તમારે અનાદર કર્યો નથી, તેમ તમારું વચન પણ ઉદ્ભવ્યું નથી, કે જેથી સિદ્ધપુરૂષની જેમ અલક્ષ્યપણે–રપષ્ટ ન દેખાએ તેવી રીતે તમે રહે છે. અમે તે તમારા ગયા પછી તમને બહુ પ્રકારે શેધ્યા, પણ કઈ સ્થળે તમને દેખ્યા નહિ. તમારા વિરહથી અમને તે મોટું દુઃખ થયું હતું, તે બધું કેટલું વર્ણવું ? તમે તે ત્યાંથી અહીં આવીને મગધેશ્વરનું નગર શોભાવ્યું જણાય છે. તમે અમારે ત્યાંથી નીકળ્યા પછી કોઈની સાથે એક કાગળ પણ મેકલ્યો નહિ, કે સંદેશો પણ કહેવરાવે નહિ. આપણો લેકમાં કહેવાતે સ્વામિસેવકભાવ માત્ર કથનમાંજ રહ્યો, મારા મનમાં તે તમે આ પત્તિના સમયમાં અદ્વિતીય સહાયકથનાર હતા, મારા બંધુ તુલ્ય હતા અને પ્રગટ કહેવા ગ્ય અને નહિ કહેવા ગ્ય વાતે કહેવાનું સ્થળ હતા, અંતરના ભાવ જાણનાર હતા, અને વિશ્વાસનું સ્થાન હતા. આવા સ્નેહસંબંધમાં તમારી આટલી ઉદાસીનતા દોષપાત્ર કેમ ન કહેવાય? આ ઉત્તમ જનોની રીતિ નથી.” આ પ્રમાણેનાં પ્રદ્યોતરાજાનાં વચને સાંભળીને ધન્યકુમારે ઉભાથઈ તેમને પ્રણામ કર્યા અને હાથ જોડીને કહ્યું કે–“કૃપાનિધિ! આપે જે કહ્યું તે સત્ય જ છે. હું આપને અપરાધી છું, દેષને પાત્ર છું, તે મારો દેષ સ્વામીએ ખમે એવી મારી વિનંતિ છે. આપની કૃપાનું વર્ણન હું મારા એક મુખથી કહેવાને કેવી રીતે સમર્થ થઈ શકું? આ પ્રમાણે સેવકના દેશનું આચ્છાદન,