________________ 149 ઘરમાં કેણ રહે?” ત્યાર પછી મારા સસરાએ મને પણ આજ્ઞા કરી કે- “તું પણ તારા પિતાને ઘેર જા.” મેં કહ્યું કે-હું મારા પિતાને ઘેર જઈશ નહિ; કેમકે પિયરમાં ક્ષણે ક્ષણે થતી શ્વશુર કુટુંબની નિંદા સાંભળવાને હું સમર્થ નથી, તેથી સુખમાં અથવા તે દુઃખમાં જેવી તમારી ગતિ તેવીજ મારી પણ ગતિ થશે. આ પ્રમાણેનાં મારાં વચન સાંભળીને આદરપૂર્વક અને સાથે રાખીને આખા કુટુંબ સહિત મારા સાસરા રાજગૃહીથી નીકળ્યા. ઘણા ગામ, પુર અને નગરમાં રખડતાં રખડતાં છેવટે અમે અત્રે આવ્યા. અહીં તમારા ભત્તર તળાવ ખોદાવવાનું કામ કરાવે છે, તેવી વાત સાંભળીને અમારે ઉદરનિર્વાહ કરવા માટે અમે બધા તે કામ કરવા રહ્યા. હવે અમે તળાવ ખોદીએ છીએ ને આજીવિકા ચિલાવીએ છીએ. હે સખી! નિધન મનુષ્યને પેટ ભરવા માટે શું શું કાર્યો કરવાં પડતાં નથી? કહ્યું છે કે ગાંડા થઈ ગયેલા પુરૂષો શું શું બેલત નથી, અને નિર્ધન મનુષ્ય શું શું કરતાં નથી ?' સાતે ભયમ ) આજીવિકા ભય સવથી મહે અને દસ્તર છે. સત્ય કહ્યું છે કે જીવતા પ્રાણુઓમાં તે રાહુજએક શ્રેષ્ઠ છે, કે જેને મુશ્કેલીથી પૂર્ણ કરી શકાય તેવું ધિક્કારવા લાયક પેટ નથી. મુશ્કેલીથી પૂરી શકાય તેવા આ ઉદરને માટે માણસે કોને કોને પ્રાર્થતા નથી?કેની કેની પાસે માથું નમાવતા નથી? શું શું કરતાં નથી અને શું કરાવતાં નથી?' આમાં કેઈને પણ દોષ નથી, છેષ માત્ર પૂર્વ ભવમાં પ્રમાદવશ જીવે કરેલા કર્મના ઉદયને જ છે અને તે ઉદયને નિવારવાને તો ત્રણ જગતમાં કોઈ પણ પ્રાણી શક્તિમાન નથી. મનુષ્યમાં જેએ અતિ બળવંત અને ડાહ્યા હોય તેઓએ નવાં કર્મ ન બાંધવાં અને પૂર્વે બાંધેલાં કર્મ ઉદયમાં આવે તે ૩ર