________________ ષષ્ઠ પલ્લવ. 235 - - विकसति यदि पद्मं, पर्वताग्रे शिलायां, तदपि न चलतीयं भाविनी कर्मरेखा // જો સૂર્ય કદાચ પશ્ચિમ દિશામાં ઉગે, મેરૂ પર્વત ચલાયમાન થાય, અગ્નિ શીતળ ગુણવાળ થઈ જાય, કમળપુષ્પ ૫વંતના અગ્રભાગે શિલા ઉપર ઉગ તોપણ ભાવિ જે કરેખા હેય તે કોઈ પણ દિવસ ફરતી નથી.” 'અહે આ મારા માબાપ, આ ભાઈઓ, આ ભાભીએ, આ મારી પત્ની, આ મારું આખું કુટુંબ અહીં આવેલ છે. અહે! કેવી અસંભાવ્ય, ન કલ્પી શકાય તેવી દુર્દશા નશીબે તેમને પાસ કરાવી છે? આ શાલિભદ્રની બહેન પણ માટી વહન કરે છે! અને થવા તે કર્મની ગતિ વિચિત્ર છે. આ સર્વનું વચન કેઈ દિવસ મિથ્યા થતું નથી. અનેક રાજાઓના સમૂહએ જેનાં ચરણકમળની ઉપાસના કરી હતી તેવા રાજર્ષિ હરિશ્ચંદ્રને પણ ચંડાળને ઘેર પાણી ભરવું પડ્યું હતું ! તથા સતીઓને વિષે અગ્રેસર નળપત્ની દમયંતીને પણ અતિ દુખિની થઈ યૌવનાવસ્થામાં ઘરવનમાં એકલે કાળ ગુમાવવો પડ્યો હતે ! ત્રણ જગતમાં ભગવ્યા વગર કઈથી કર્મ ખપાવાતું જ નથી ! જે કઈ જિનેશ્વર ભગવંત તથા તેવાજ અતુલ બળ, વીર્ય, ઉત્સાહ યુક્ત થયા તેઓએ નવાં કર્મ ન બાંધ્યા, પણ પૂર્વે બાંધેલાં કર્મો તે તે સવને પણ ભગવાને જ ખપાવવા પડ્યા ! જ્યારે વિધિ વાંક હોય ત્યારે કાણ સુખી થાય છે? ચક્રવર્તીના મુકુટ ઉપરથી પડી ગયેલું અને ધૂળથી ઢંકાઈ ગયેલું, જેની ઓળખાણ નાશ પામી ગઈ હેય તેવું રત્ન દેવાધિણિત હોય છતાં પણ મનુષ્યના પગની નીચે દબાવા વિગેરે અનેક પ્રકારની વિપત્તિઓ સહન કરે છે, તે