SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ 186 ધન્યકુમાર ચરિત્ર. સર્વ રેગ ક્ષણવારમાં નાશ પામી જાય છે, તેવી જ રીતે જ્યારે હું ઇચ્છિત કાર્ય સાધનાર ભેદ ઉપાયરૂપી રસાયણને પ્રગ 'કરીશ, ત્યારે વૈરીરૂપી વ્યાધિઓને ક્ષણમાં નાશ થઈ જશે, માટે આપ આ સેવકનું બુદ્ધિકૌશલ્ય જુઓ, આપ પૂજયે તે સુખે સુઈ રહેવું, આ બાબતની જરા પણ ઉપાધિ કરી મનને આર્તધ્યાનમાં દેવાની આપ પૂજયપિતાશ્રીને જરા પણ જરૂર નથી.” / હવે અભયકુમારે સૂક્ષ્મ દષ્ટિથી અવલોકન કરીને શત્રુ સૈન્યને હવે પછી જ્યાં પડાવ થવાનું હતું અને મુખ્ય રાજા તથા સેળ તેની સાથે આવનારા બીજા રાજાઓના જ્યાં જયાં તંબુઓ નખાવાના હતા ત્યાં ત્યાં દોવીને ભૂમિની અંદર ગુપ્તપણે પુકબૂ દ્રવ્ય રથાપન કર્યું, તેજ પ્રમાણે સેનાપતિ, મંત્રી, મેટા સુભટ વિગેરેનાં નિવાસસ્થાનેની નીચે પણ તેમને લાયક ધના ભેયમાં દાવ્યું અને તે ધનની ઉપર ધૂળ વિગેરે સારી રીતે પૂરીને તે દ્રવ્ય ન દેખી શકાય તેવી રીતે રક્ષિત કર્યું. હવે અનુક્રમે ચંડપ્રદ્યોત રાજાના સૈનિકોએ વાવડીના પાણી ફરતે જેમ માછલીઓ ઘેરે ઘાલે તેમ રાજગૃહી નગરીની ફરતે ઘેરે ઘાલ્યો. નગરીની ફરતે સિન્યને ઘેરે નાખેલ દેખીને પીવાસીજન જેવી રીતે મીન રાશિમી શનિ આવે ત્યારે ભયનું કારણ ઉત્પન્ન થાય તેમ તે નગરના પ્રલયની શંકા કરતા સતા દૈન્ય ભાવને પામી ગયા, અને આ નગરીને હવે જરૂર પ્રલય થશે તેવી સર્વે આશંકા કરવા લાગ્યા. અહીં ભંભાસાર (શ્રેણિક મહુરાજાના સર્વ ઉપાય કરવામાં પ્રવીણ બુદ્ધિવાળા અભયકુમારે દંભ પૂર્વક ચંડપ્રોત રાજાને એક ગુજ લેખ—પત્ર મોકલે, તેમાં લખ્યું કે– સ્વસ્તિ શ્રી રાજગૃહી નગરીથી આપ જે સ્થળે રહ્યા છે તે
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy